સ્મૃતિ ઇરાનીનાં ‘ક્યુંકી…’માં આવવાના સમાચારથી નારાયણીને આંચકો લાગ્યો

નારાયણી શાસ્ત્રીએ ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’માં કેસરનું પાત્ર ભજવ્યું હતું
નારાયણીએ કહ્યું, એક વાર જેને એક્ટિંગનો રંગ લાગે તેના માટે પછી મુશ્કેલ થઈ જતું હોય છે
મુંબઈ, જાણીતી ટેવી એક્ટ્રેસ નારાયણી શાસ્ત્રી ટીવી પર સતત મજબુત રોલમાં દેખાતી રહી છે, હાલ તે આગામી સિરીયલ ‘નોયોનતારા’માં મુખ્ય વિલનના રોલમાં જોવા મળશે. ત્યારે આ સંદર્ભે એક ઇન્ટરવ્યુમાં તેણે પોતાના આ શો અને સાથે ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ની બીજી સીઝન અંગે વાત કરી હતી. સાથે તેણે સ્મૃતિ ઇરાનીનાં એક્ટિંગમાં કમ બૅક વિશે પણ વાત કરી હતી. ‘નોયોનતારા’ વિશે વાત કરતાં નારાયણીએ જણાવ્યું, “ખરેખર આ સીરિયલની વાર્તા ઘણી સબળ અને રસ પડે એવી છે. અમારી લેખિકા સુહાના સ્ત્રી પાત્રોને બહુ સુંદર રીતે રજુ કરે છે. સામાનવ્ય રીતે ટીવીમાં જે રીતે સ્ત્રી પાત્રો દર્શાવાય છે, એવું એના લેખનમાં જરા પણ નથી.કોઈ વિલન નથી, કોઈ સારું કે ખરાબ નથી.
તેણે જે રીતે લખ્યું છે એ સમજાવવું અઘરું છે સાથે જ તેના પર અભિનય કરવો એના કરતાં પણ અઘરો છે. મેં ઘણું કામ કર્યું છે અને હું હંમેશા કોઈ પડકારરૂપ કામ જ શોધતી હોઉં છું. મને આ સ્ક્રિપ્ટ બધી રીતે બહુ સારી લાગી. મને આ સ્ટોરી વિશે ઘણી આતુરતા હતી તેથી મને લાગે છે કે દર્શકોમાં પણ એવી ઉત્સુકતા થશે, એ રીતે હું મારું પાત્ર પસંદ કરું છું. મને વિશ્વાસ છે કે દર્શકોને આ શો ગમશે.”નારાયણી શાસ્ત્રીએ ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’માં કેસરનું પાત્ર ભજવ્યું હતું. ત્યારે આ શોની આવનારી સઝીન અને તેમાં ફરીથી તુલસી અને મિહિરના પાત્રમાં આવનારા સ્મૃતિ ઇરાની અને અમર ઉપાધ્યાય વિશે પણ નારાયણીએ વાત કરી હતી. તેણે કહ્યું, “આ બહુ જ સારી વાત છે અને મને વિશ્વાસ છે કે લોકોની જુની યાદો તાજી થશે અને તેમને આ શો ગમશે. હું તેમને શુભેચ્છાઓ આપું છું.
હું હાલ નોયોનતારા કરું છું એટલે હું એ શો નહીં કરી શકું. મારું કેસરનું પાત્ર પણ લગભગ એક-દોઢ વર્ષ પછી આવ્યું હતું, જ્યારે સ્મૃતિ પ્રેગનન્ટ હતી, એટલા સમય પુરતા એપિસોડ પુરા કરવા માટે. હાલ હું નોયોનતારા કરીને ખુશ છું.”જ્યારે સ્મૃતિ ઇરાની વિશે વાત કરતાં નારાયણીએ કહ્યું, “મને આંચકો લાગી ગયો, કારણ કે રાજકારણમાં એ બહુ સારું કામ કરે છે, પણ કહેવાય છે કે જેને એક વાર એક્ટિંગનો કીડો કરડે, તો બહુ મુશ્કેલ થઈ જાય છે, નીકળવું અને તેણે જે કર્યું એમાં એ બહુ સારાં હતાં. એ કેમેરા સામે બહુ સારા છે, તેથી તેમના શોમાં પાછા ફરવાથી નવીનતા અને આકર્ષણ ઉમેરાશે.”ss1