સ્વામિનારાયણ મંદિર કુંડળધામમાં પૂજા અર્ચના કરતાં મુખ્યમંત્રી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શનિવારે શ્રી સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ ખાતે દર્શનીય મુલાકાત લઈ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીના આશીર્વાદ લીધી હતાં.
આ ઉપરાંત સાળંગપુર ખાતે વિશ્વપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવના દર્શન કર્યા હતાં અને શ્રી મારુતિયજ્ઞમાં હાજરી આપી હતી. શ્રી હનુમાનજી મહારાજ સૌને આધિ-વ્યાધિથી મુક્ત કરી સુખ-શાંતિ અને સમૃધ્ધિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
તેમજ BAPS સ્વામીનારાયણ મંદિર સાળંગપુર ખાતે શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજના દર્શન કરી બ્રહ્મસ્વરુપ શ્રી પ્રમુખસ્વામીજી મહારાજની સમાધિ પર માલ્યાર્પણ કર્યું હતું.