હત્યાના આરોપીને પાંચ વર્ષની સજા અને રૂા.૧૦૦૦૦ નો દંડ
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા સેસન્સ કોર્ટે હત્યાના ગુનામાં આરોપી ને પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.૧૦ હજાર નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો . ગત ૧ લી માર્ચ ૨૦૧૮ ના રોજ મોજે ધાણીત્રા ગામે આ કામના આરોપી શનાભાઇ સરદારભાઈ રાઠોડ ઉંમર વર્ષ ૪૨ રહે ધાણીત્રા વાસણના મુવાડા તાલુકો ગોધરા નાઓ એ પોતાની પત્ની કોકીલાબેન ઉ.વ ૩૯ વર્ષનાની સાથે ઘરકામ – કાજ અર્થે બોલાચાલી ઝઘડો તકરાર કરી ખરાબગાળો બોલી લાકડી તથા ગડદાપાટુનો મારમારી આંતરિક ઈજાઓ કરતાં કોકીલાબેનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ગોધરા મુકામે દાખલ કરવામાં આવેલ હતા.
જેઓનું સીવીલ હોસ્પિટલ , ગોધરા મુકામે સારવાર દરમિયાન તારીખ ૦૨ / ૦૩ / ૨૦૧૮ ના રોજ મરણ ગયેલ જે બાબતે આરોપી સામે ઈ . પી . કો . કલમ ૩૦૨ , ૫૦૪ મુજબનો ગુનો દાખલ થયેલ જે કામના આરોપી શનાભાઇ રાઠોડ સામે પંચમહાલના મહેરબાન છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ શ્રી બી . કે . બારોટ ની કોર્ટમાં કેસ ચાલી જતા સદર કામે ફરિયાદ પક્ષે સરકારી વકીલ એમ . કે . દેશમુખનાઓએ કુલ ૨૨ સાક્ષીઓ તપાસેલા જેમાં ફરિયાદી પંચો અને સાહેદો તથા તપાસ કરનાર અમલદારની જુબાનીઓ લેવામાં આવેલ તેમજ ફરિયાદપક્ષના વકીલ એમ કે દેશમુખનાઓની લેખિત તેમજ મૌખિક દલીલો સાંભળ્યા ચુકાદો આપ્યો હતો .