હરિદ્વાર ખાતે અસ્થિ કળશ યાત્રા અને વિશ્વશાંતિ રેલી યોજાઈ
અમદાવાદ, શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવતમાન આચાર્યશ્રી જીતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં હરિદ્વાર ખાતે વર્લ્ડ પીસ એમ્બેસેડર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના અસ્થિ કળશ પૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હરદ્વાર હરકી પીંડી ખાતે વિશ્વ શાંતિ રેલી યોજાઇ હતી. જેમાં હજારો હરિભક્તોએ રેલીમાં ભાગ લીધો હતો. ઉપરાંત વિશ્વનું સુપ્રસિદ્ધ સ્કોટિશ પાઈપ બેન્ડ લંડન, બોલ્ટન અને ભારતનું સ્કોટિશ પાઈપ બેન્ડ પણ જાેડાયું હતું.
આ કાર્યક્રમમાં દિલ્હી મંદિરના મહંત સં.શિ. શ્રી ધર્મનંદનદાસજી સ્વામી, મણિનગર મંદિરના મહંત સદગુરુ શ્રી ભગવતપ્રિયદાસજી સ્વામી, મુંબઈ મંદિરના મહંત દિવ્યદર્શનદાસજી સ્વામી, ડેપ્યુટી મહંત મુનિભૂષણદાસજી સ્વામી, સં. શિ. ધર્મવત્સલદાસજી સ્વામી, શ્રી કિર્તીભાઇ વરસાણી ટ્રસ્ટી અને સંગીતકાર દિવ્ચાજંલી પીઠના દેવરુષી મહારાજ વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.