હરિયાણામાં ગોરખધંધા શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ

ચંદીગઢ, ખોટા કામોને વ્યાખ્યાયિત કરવા માટે વપરાતા ગોરખધંધા શબ્દના ઉપયોગ પર હરિયાણાની સરકારે પ્રતિબંધ મુકી દીધો છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે. તેમણે આ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાનું કારણ પણ આપ્યું છે. તેમના કહેવા પ્રમાણે ગોરખનાથ એક સંત હતા અને આ શબ્દના ઉપયોગથી તેમના અનુયાયીઓની લાગણીને ઠેસ પહોંચતી હતી. ગોરખનાથ સંપ્રદાયના લોકોએ તાજેતરમાં જ મુખ્યમંત્રી ખટ્ટરની મુલાકાત લીધી હતી અને ગોરખધંધા શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મુકવા તેમના સમક્ષ માંગણી કરી હતી. તેમની માંગણીને અનુલક્ષીને આ ર્નિણય લેવામાં આવ્યો છે.
પોતાના ર્નિણય અંગે જણાવતા મુખ્યમંત્રી ખટ્ટરે કહ્યું કે, ગોરખનાથ એક સંત હતા અને કોઈ પણ સત્તાવાર ભાષા, ભાષણ કે અન્ય કોઈ સંદર્ભે આ શબ્દનો પ્રયોગ સંત ગોરખનાથના અનુયાયીઓની લાગણીને ઠેસ પહોંચાડે છે. આ કારણે કોઈ પણ સંદર્ભમાં આ શબ્દના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ગોરખનાથ એક સંત હતા અને સોનીપતથી ૨૦ કિમી દૂર ગોર્ડ ગામમાં તેમનું એક મંદિર પણ છે.SSS