હળવદની દુર્ધટનામાં ગંગા સ્વરૂપ બહેનોને આજીવન પેન્શન મળશે
હળવદ, હળવદના જી.આઈ.ડી.સી. ખોત તાજેતરની ગોઝારી દુર્ઘટનામાં પોતાના પતિને ગુમાવનારી બહેનો એટલે કે ગંગા સ્વરૂપ (વિધવા બહેનો)ને ગંગા સ્વરૂપ પેન્શન યોજનાના મંજુરી આદેશ પત્ર સુપ્રત કરવામાં આવ્યા હતા.
આ યોજના અંતર્ગત ગંગા સ્વરૂપ બહેનોને આજીવન દર મહિને રૂા.૧ર૮૦/- રૂપિયા પેન્શન મળશે જે તેમના બેંક એકાઉન્ટમાં જમા થશે તે અંતર્ગત ગંગા સ્વરૂપ બહેનો (૧) ગં. સ્વ. શાંતાબેન રમેશભાઈ પીરાણા, (ર) ગં.સ્વ. રમીલાબેન રાજેશભાઈ મકવાણા (૩) ગં. સ્વ. શારદાબેન રમેશભાઈ મકવાણાને મામલતદાર કચેરી ખાતે ગંગા સ્વરૂપ પેન્શન યોજના અંતર્ગત સહાય અંગેના યોજનાના મંજુરી આદેશ પત્ર સુપ્રત કરાયા હતા. આ પ્રસંગે પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડો. દીપિકાબેન સરડવા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.