૨૧ લાખ રોપાઓ પહોંચાડવા માટે ‘તુલસી રથ’ને ફ્લેગ ઓફ આપી શુભારંભ
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વસ્ત્રાલ, અમદાવાદ ખાતે પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે પ્રદીપસિંહ જાડેજાએ કાર્યકરો સાથે રહીને વૃક્ષારોપણ કર્યું. ઘરઆંગણે અને ઔધોગિક એકમોમાં ૨૧ લાખ રોપાઓ પહોંચાડવા માટે ‘તુલસી રથ’ને ફ્લેગ ઓફ આપી શુભારંભ કરાવ્યો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ભરૂચ ખાતે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધાનું ઈ-લોકાર્પણ કર્યું હતું.