૨૪ કલાકમાં કોરોનાના નવા કુલ ૨૮ કેસ નોંધાયા
ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના આજે નવા ૨૮ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૪૫ દર્દી સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૬,૯૯૯ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ૯૮.૭૫ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.
આજના દિવસમાં કુલ ૪,૧૯,૩૨૬ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જાે કોરોનાની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરીએ તો રાજ્યમાં કુલ ૨૯૧ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૫ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૨૮૬ નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત ૮,૧૬,૯૯૯ નાગરિકો અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ પણ થઇ ચુક્યાં છે.
૧૦૦૯૨ નાગરિકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર છે કે, આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં કોરોના ૧૦, સુરત કોર્પોરેશન ૬, વડોદરા કોર્પોરેશન ૪, કચ્છ, સુરતમાં ૨-૨ કેસ અને જામનગર, ખેડા, નવસારી તથા વલસાડમાં ૧-૧ કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ ૨૮ કેસ નોંધાયા છે.
આ ઉપરાંત સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૪ને રસીનો પ્રથમ જ્યારે ૨૨૫૬ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૧૦૦૪૦ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૧૦૧૩૯૨ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૩૩૩૫૩ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૨૭૨૨૯૧ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આજનાં દિવસમાં કુલ ૪,૧૯,૩૨૬ ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૭,૯૮,૮૦,૨૫૫ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS