૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૬ કેસ સામે આવ્યા
ગાંધીનગર, રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૬ કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન ૧ વ્યક્તિનું મૃત્યુ થયું છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦ લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો ૮ લાખ ૨૬ હજાર ૪૩૪ પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી ૮ લાખ ૧૬ હજાર ૧૮૭ લોકો સાજા થયા છે. તો ૧૦ હજાર ૮૮ લોકોના નિધન થયા છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ કેસ વલસાડ જિલ્લામાં નોંધાયા છે. વલસાડમાં ૫ કેસ સામે આવ્યા છે. તો સુરત જિલ્લામાં ૭ કેસ સામે આવ્યા છે. નવસારી અને વડોદરા શહેરમાં બે-બે કેસ નોંધાયા છે. તો એક દર્દીનું નિધન વલસાડમાં થયું છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં એકપણ કેસ નોંધાયો નથી.
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૫૯ છે, જેમાં ૫ દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી ૮ લાખ ૧૬ હજાર ૧૮૭ લોકો સાજા થયા છે. તો ૧૦ હજાર ૮૮ લોકોના નિધન થયા છે. રાજ્યનો રિકવરી રેટ ૯૮.૭૬ ટકા છે.
ગુજરાતમાં આજે સાંજે ૪ કલાક સુધીમાં ૨ લાખ ૭૫ હજાર ૨૫૪ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. તો ગુજરાતમાં અત્યાર સુધી ૬ કરોજ ૮૯ લાખ ૮૩ હજાર ૩૬૦ વેક્સીનના ડોઝ આપી દેવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અને બીજાે ડોઝ સામેલ છે.SSS