૨૪ કલાકમાં ૧૮૭૯૫ લોકો સંક્રમિત, ૧૭૯નાં મોત
નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે ફરી એકવાર કેસોમાં જાેરદાર ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઘટી રહેલા કેસોમાં એકાએક ૬ હજારથી પણ મોટો ઘટાડો નોંધાયો છે. કેરળમાં પણ મહામારીની અસર ઓછી થતી હોય એવું લાગી રહ્યું છે.
છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૧૧ હજાર લોકો સંક્રમિત થયા છે. તો ગુજરાતમાં ફરી એક વાર સંક્રમણની સંખ્યા ૨૦થી વધુ નોંધાઈ છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગે મંગળવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૮,૭૯૫ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે.
આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૭૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૬,૯૭,૫૮૧ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૮૭,૦૭,૦૮,૬૩૬ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૦૨,૨૨,૫૨૫ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૯ લાખ ૫૮ હજાર ૨ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૬,૦૩૦ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ૨,૯૨,૨૦૬ એક્ટિવ કેસ છે. ભારતમાં રિકવરી રેટ ૯૭.૮ ટકા થયો છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૭,૩૭૩ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૬,૫૭,૩૦,૦૩૧ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના ૨૪ કલાકમાં ૧૩,૨૧,૭૮૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૧ કેસ નોંધાયા છે. જેની સામે ૩૦ દર્દીઓ સાજા થયા છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૨ છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. રાજ્યમાં ૨૭મી સપ્ટેમ્બર ૨૦૨૧ની સાંજે ૨૯ જિલ્લા અને ૪ મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા કેસ ફક્ત ૪ જિલ્લા અને ૪ શહેરમાં નોંધાયા છે, જેમાંથી સુરત શહેરમાં ૩ કેસ, અમદાવાદ શહેરમાં ૬, વલસાડમાં ૫,સુરત શહેરમાં ૩, વડોદરા શહેરમાં ૩, ભફાવનગરમાં ૧, ગાંધીનગરમાં ૧, કચ્છમાં ૧, નવસારીમાં ૧ કેસ નોંધાયો છે.SSS