૨૬ જુનના રોજ જિલ્લા અને તાલુકા કક્ષાએ નેશનલ લોક અદાલત યોજાશે
મહેસાણા,રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મહેસાણા દ્વારા જિલ્લા અદાલત રાજમહેલ મહેસાણા તથા તાલુકા કક્ષાએ તમામ તાલુકા કોર્ટોમાં ૨૬ જુનના રોજ સવારે ૧૦-૩૦ કલાકથી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે,
આ લોક અદાલતમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો,મોટર એક્સીડન્ટ ક્લેઇમ પીટીશન,નગોશીયેબલ ઇન્સ્ટ્રમેન્ટ એક્ટની કલમ-૧૩૮ના ચેક રીટર્નના કેસો,ભરણ પોષણના કેસો,ફેમીલી કેસો,જમીન વળતરના કેસો,મજૂર કાયદાને લગતા કેસો,મહેસુલી તકરારના કેસો,વીજ તથા પાણી બીલ (ચોરી સિવાય)ના કેસો, ભાડાના,બેન્ક વસુલાત,સુખાધાર હકક,મનાઇ હુકમ,દેવા વસુલાતને લગતા દિવાની તકરારના કેસો તથા અન્ય પ્રકારના સમાધાન લાયક કેસો મુકી શકાશે.
આ નેશનલ લોક અદાલતમાં કેસો મુકવા ઇચ્છુક પક્ષકારોએ સંબધિત કોર્ટ,જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળમાંથી કોઇ પણનો ૨૦ જુન સુધી સંપર્ક સાધવાનો રહશે, કાનૂની સેવા સત્તા મંડળ અધિનિયમ-૨૧ હેઠળ લોક અદાલત કેસોનું સમાધાન અથવા પતાવટ થયેલ હોય તેવા કેસોમાં કોર્ટ ફી રીફંડ કરી શકાશે.hs3kp