૬૦ વર્ષથી ઉપરના લોકોને વેક્સિનેશન અપાશે
ગાંધીનગર: કોરોનાકાળમાં વિધાનસભાનું બજેટ સત્ર ખાસ બનવા જઈ રહ્યું છે. બજેટ માટે સરકાર એપ્લિકેશન લૉન્ચ કરી છે. નાણામંત્રી નીતિન પટેલ આજે મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી છે. જેમાં ગુજરાતનું બજેટ ડિજિટલી રજૂ કરવામાં આવશે. બજેટમાં કાગળનો ઓછામાં ઓછો વપરાશ થાય તેવો આગ્રહ આ ડિજીટલ પ્લેટફોર્મ થકી રાખવામાં આવ્યો છે. ત્યારે આ સાથે તેમણે જાહેરાત કરી કે, ગુજરાતમાં ૧ માર્ચથી ૬૦ વર્ષથી ઉપરના લોકો અને ૪૫ વર્ષથી નીચેની વયના જે ગંભીર રોગોથી પીડાય છે તેમને વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.
નીતિન પટેલે કહ્યું કે, ભારત સરકારે તાજેતરમાં ર્નિણય કર્યો છે કે, કોરોના વોરિયર્સને ભારત સરકાર તરફથી વેક્સિનેશન આપવાનું કામ સમગ્ર દેશમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં પણ આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને બીજા તબક્કામાં કરવાની હતી એ પણ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ ૧ માર્ચથી ૬૦ વર્ષથી ઉપરના લોકો અને ૪૫ વર્ષથી નીચેની વયના જે ગંભીર રોગોથી પીડાય છે તેમને વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.
હાર્ડ ફીવર, હૃદયને લગતા રોગો, જન્મજાત હૃદયરોગ, હાઈપોટેન્શન, ડાયાબિટીસ હોય કેન્સર સિક્લસેલ, બોનમેરો ફેલ્યોર, એચઆઈવી પ્રકારના રોગોને આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે. મેડિકલ ઓફિસર આઈડેન્ટિફાઈડ્ કરે તેવા ૪૫ વર્ષના ઉંમરના લોકોને પણ વેક્સીન આપવામાં આવશે. આ માટે એડવાન્સમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પહેલા અઠવાડિયામાં ૫૦૦ જેટલા સેન્ટરમાં વેક્સીનેશન શરૂ કરવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું કે, કઈ કઈ જગ્યાએ વેક્સિનેશન કાર્યક્રમ હાથ ધરાશે તેની વેબસાઇટ પર માહિતી મળશે. આ માટે મોબાઈલ ઉપર રજિસ્ટ્રેશન કરી શકાશે. જાેકે એક મોબાઈલ નંબર ઉપરથી ચાર વ્યક્તિઓનું રજિસ્ટ્રેશન કરી શકાશે. આ માટે આધાર કાર્ડ, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઈસન્સ છે જેવા ઓળખપત્રો જરૂરી બનશે. ઓન સાઈટ રજિસ્ટ્રેશન પણ કરી શકાશે.
સરકારી અને ખાનગી વેક્સીનેશન સેન્ટર ઉપર આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. નિ શુલ્ક રીતે વેક્સિનેશન કરવામાં આવશે. માત્ર પ્રોસેસિંગ ફી તરીકે ૧૦૦ રૂપિયા લેવામાં આવશે. ઓનલાઇન પેમેન્ટ ભારત સરકારના એકાઉન્ટમાં જમા કરાવવાનું રહેશે. વેક્સિનેશન પછી સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
આ કામગીરીનો અમલ રાજ્ય સરકાર કરશે. ૬૦ વર્ષથી ઉપરના લોકો સરકારી સેન્ટરમાં જાય તો વિનામૂલ્યે અને ખાનગીમાં જાય તો ૧૦૦ રૂપિયા પ્રોસેસિંગ ચાર્જ લાગશે. કેન્દ્ર સરકાર નક્કી કરશે તે પ્રકારે ચાર્જ લેવાશે.