દિલ્હી એરપોર્ટ પર ૧૫ જૂન થી ૩ માસ માટે રોજની ૧૧૪ ફ્લાઈટ રદ થશે

ધુમ્મસમાં ટેકઓફ-લેન્ડમાં તકલીફ પડતી હોવાથી રન વે ને અપગ્રેડ કરાશે
દિલ્હી ખાતે આવેલું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ દેશમાં સૌથી મોટું અને સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટ છે
નવી દિલ્હી, દિલ્હી એરપોર્ટ પર રનવેને અપગ્રેડ કરવાની ક્વાયત હાથ ધરાઈ છે, જેના કારણે ૧૫ જૂનથી ત્રણ મહિના માટે રોજની ૧૧૪ ફ્લાઈટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી એરપોર્ટ ઓપરેટર DIAL દ્વારા જણાવાયું હતું કે, એક રનવેને અપગ્રેડ કરવાનો હોવાથી તેને બંધ રાખવામાં આવશે અને તેથી આ એરપોર્ટ પરથી રોજ ઊડાન ભરતી ફ્લાઈટમાંથી ૭.૫ ટકાને અસર પહોંચશે.
રનવે ૧૦/૨૮ને અપગ્રેડ કરવા માટે ૧૫ જૂનથી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન કામગીરી થશે.
અગાઉ મે મહિનામાં તેને અપગ્રેડ કરવાનો હતો, પરંતુ કન્જેશનની સમસ્યાના કારણે કામગીરી મુલતવી રખાઈ હતી. રનવે ને CAT III ધોરણો મુજબનો બનાવવા માટે ધ ઈન્સ્ટ્›મેન્ટ લેન્ડિંગ સીસ્ટમને અપગ્રેડ કરાશે, જેના કારણે ધુમ્મસના સમયે પણ ફ્લાઈટ ઓપરેટ કરવાનું સરળ બનશે. દિલ્હી ખાતે આવેલું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ દેશમાં સૌથી મોટું અને સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટ છે. અહીંથી રોજની ૧,૪૫૦ ફ્લાઈટ અવર-જવર કરે છે. તેમાં ચાર રનવે છે અને ત્રણ ટર્મિનલ છે.
એક ટર્મિનલ હાલ મેન્ટેનન્સ કામગીરીના કારણે બંધ છે. દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL)ના સીઈઓ વિદેહ કુમાર જયપુરિઆરે કહ્યું હતું કે, ૧૫ જૂનથી ત્રણ મહિના માટે રનવે ૧૦/૨૮ બંધ રહેશે. ધુમ્મસ દરમિયાન આ રનવે પરથી ફ્લાઈટનું લેન્ડિંગ અને ટેકઓફ અઘરું બને છે. આ સમસ્યા દૂર કરવા માટે તેને અપગ્રેડ કરવામાં આવશે. આ ત્રણ મહિના દરમિયાન ૭.૫ ટકા ફ્લાઈટને અસર પહોંચશે. આ તકલીફ અંગે મુસાફરોને આગોતરી જાણ કરી દેવાઈ છે. આ કામગીરીને કારણે કુલ ૨૦૦ ફ્લાઈટને અસર પહોંચવાની છે.ss1