બફર સ્ટોકમાંથી રાજ્યોને રાહત દરે ૧૫ લાખ ટન ચણા અપાશે
(એજન્સી)નવી દિલ્હી,કેન્દ્ર સરકારે અડદ અને મસૂરની ખરીદી મર્યાદા વધારવાની મંજૂરી આપી છે. અહેવાલ મુજબ, કેન્દ્રીય કેબિનેટે બુધવારે પ્રાઇસ સપોર્ટ સ્કીમ (પીએસએસ) હેઠળ તુવેર, અડદ અને મસૂરની ખરીદીની મર્યાદા વધારી દીધી છે.
આ સાથે રાજ્યોને તેમના બફર સ્ટોકમાંથી રાહત દરે ૧૫ લાખ ટન ચણા આપવાની પણ મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં આ ર્નિણયો લેવામાં આવ્યા હતા.
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની આર્થિક બાબતોની સમિતિ એટલે કે સીસીઈએની બેઠકમાં ૧૫ લાખ ટનના વિતરણની મંજૂરી આપવામાં આવી છે.
બફર સ્ટોકમાંથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રાહત દરે ગ્રામ. માનવામાં આવે છે કે સરકારના આ ર્નિણયથી ખેડૂતો કઠોળ પાકના ઉત્પાદન તરફ આકર્ષિત થશે.