17 નવજાત બાળકીના નામ ‘સિંદૂર’ રાખવામાં આવ્યા

(એજન્સી)નવીદિલ્હી, પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સૈન્ય ઓપરેશન સિંદુરના નામે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી શરૂ કરીર હતી. ઓપરેશન સિંદુરથી પ્રેરરીત થઈને અહી ૧૭ પરીવારજનોને પોતાની નવજાત બાળકીના નામ સિંદૂર રાખ્યા છે.
કુશીનગર મેડીકલ કોલેજના પ્રિન્સીપાલ ડો.આર.કે. શાહીએ સોમવારેર જણાવ્યું કે મેડીકલ કોલેજની હોસ્પિટલમાં ૧૦ અને ૧ર મેના રોજ દિવસની જન્મેલી ૧૭ નવજાતબાળકીના નામ તેમના પરીવારના સભ્યોએ સિંદૂર રાખ્યા છે. ભારતીય સેનાએ સાતમી મેએ પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં આાતંકી કેમ્પોને ખતમ કરવા માટે ઓપરેશન િંસંદૂર શરૂ કર્યું હતું.
પાકિસ્તાનના હુમલા પછી તમામ જવાબી કાર્યવાહી ઓપરેશન સિંદૂર ના નામથી કરવામાં આવી હતી. ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરીરને કુશીનગરમાં રહેવાસી અને નવજાત બાળકીને જન્મ આપનાર અર્ચના શાહીએ કહયું કે, તેમણે પોતાની દીકરીનું નામ સૈન્ય અભીયાન પરથી રાખ્યું છે. અમને આ નામ રાખવાથી ગર્વ થઈ રહયો છે. હવે સિંદુર એક શબ્દો નહી પરંતુ એક ભાવના છે. એટલા માટે અમે અમારી દીકરીનું નામ સિંંદૂર રાખવાનો નિર્ણય કર્યો છે.
પડરૌનાના મદન ગુપ્તાએ કહયું કે ભારતે ર૬ નિર્દોષ લોકોની હત્યાનો બદલો લીધો છે. ત્યારથી તેમની પુત્રવધુ કાજલ ગુપ્તા પોતાની નવજાત દીકરીનું નામ સિંદૂર રાખવા ઈચ્છતી હતી.
આ રીતે અમે ફકત આ ઓપરેશનને યાદ રાખીશું એટલું જ નહી આ દીવસની ઉજવણી પણ કરીશું. ભઠહીબાબુ ગામના વ્યાસમુનીઓ કહયું કે તેમની દીકરીમાં સાહસ આવશે. જયારે મારી દીકરી મોટી થશે તો એ આ શબ્દનો સાચો અર્થ સમજશે. પડસૈન્ની પ્રિયંકા દેવીએ પણ અન્યની જેમ પોતાની દીકરીનું નામ ભારતની સૈન્ય કાર્યવાહી સિંદુરના નામ પરથી રાખવાનો નિર્ણય કર્યો છે.