20 ડીસેમ્બર 2021 થી 8 જાન્યુઆરી 2022 સુધી નાંદોલ દહેગામ રેલવે સ્ટેશનની નજીક LHS નં. 20 બંધ રહેશે
20 ડીસેમ્બર 2021 થી 8 જાન્યુઆરી 2022 સુધી નાંદોલ દહેગામ રેલવે સ્ટેશનની નજીક આવેલું મર્યાદિત ઉંચાઈ સબવે (LHS) નં. 20 બંધ રહેશે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર નાંદોલ દહેગામ રેલવે સ્ટેશનની નજીક આવેલું મર્યાદિત ઉંચાઈ સબવે (LHS) નં. 20 નિભાવ અને રીપેરીંગ કામ માટે તા. 20 ડીસેમ્બર 2021 સવારે 8.00 કલાક થી 8 જાન્યુઆરી 2022ના સાંજે 18.00 કલાક સુધી (કુલ 20 દિવસ) બંધ રહેશે.
માર્ગ ઉપયોગકર્તાઓ આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસીંગ નં.-28 (ભારે વાહનો) તેમજ મર્યાદિત ઉંચાઈ સબવે નં. 19-એ (નાના વાહનો) થી અવરજવર કરી શકે છે.