Western Times News

Gujarati News

2021થી GSTR-૩બીનો નિયમ બદલાશે, આજથી ઈ-વે બીલનો નવો નિયમ અમલી

નવી દિલ્હી, આજે એટલે કે ૧લી ડીસેમ્બરથી ઈ-વે બીલ માટે નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. જીએસટી રીટર્ન દાખલ કરવામાં આળસ કરનારા વેપારીઓ માટે ઈ-વે બીલનો નવો નિયમ મોંઘો સાબિત થઈ શકે છે. જે અનુસાર બે કે તેથી વધુ વખત સુધી જીએસટીઆર ૩-બી રીટર્ન દાખલ નહિ કરનાર વેપારી આજથી ઈ-વે બીલ જનરેટ નહિ કરી શકે.

જીએસટી નિષ્ણાંતોએ જણાવ્યુ છે કે આજથી ઈ-વે બીલનો નવો નિયમ ૫ કરોડથી વધુ ટર્નઓવરવાળા વેપારીઓ પર લાગુ થશે. આ વેપારીઓએ જો આ વર્ષે ઓકટોબર સુધી બે કે તેથી વધુ વખત જીએસટીઆર ૩-બી દાખલ ન કર્યુ હોય તો તેમનુ ઈ-વે બીલ આજથી બ્લોક થઈ જશે.

બીજા રાજ્યોમાં ૫૦ હજાર રૂ.થી વધુનો માલ મોકલવા માટે ઈ-વે બીલ જનરેટ કરવુ જરૂરી હોય છે. ૧લી જાન્યુઆરી ૨૦૨૧થી જીએસટીઆર ૩-બી દાખલ કરવાનો નિયમ પણ બદલાય રહ્યો છે. ૧લી જાન્યુઆરીથી વેપારીઓએ જીએસટીઆર ૩-બી દર મહિનાના બદલે ૩ મહિનામાં એક વખત દાખલ કરવુ પડશે.

નિષ્ણાંતો કહે છે કે સરકારે અગાઉથી નિયમોની માહિતી આપી દીધી છે. આ જ કારણે તેઓને ૩૦ નવે. સુધી પોતાના રીટર્ન દાખલ કરવા માટે જણાવાતુ હતુ. સૂત્રોએ કહ્યુ છે કે ઈ-વે બીલ બ્લોક થવા પર વેપારીઓએ પહેલા પોતાનુ અગાઉનુ રીટર્ન દાખલ કરવુ પડશે તે પછી તેઓ ઈ-વે બીલ જનરેટ કરી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.