25 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ–જયપુર વચ્ચે ચાલશે એક્ઝામ સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલવેના અમદાવાદથી તારીખ 25 મી સપ્ટેમ્બર 2021 ના રોજ REET પરીક્ષાના ઉમેદવારોને ધ્યાનમાં રાખીને, અમદાવાદથી ખાતીપુરા જયપુર સુધી ટ્રેન નંબર 09417/09418 એક્ઝામ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે.
ટ્રેન નબર 09417 અમદાવાદ – ખાતિપુરા એક્ઝામ સ્પેશિયલ અમદાવાદથી 25 સપ્ટેમ્બરની સાંજે 16:10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 04:45 વાગ્યે ખાતીપુરા જયપુર પહોંચશે તથા વાપસીમાં ટ્રેન નંબર 09418 ખાતિપુરા –
અમદાવાદ એક્ઝામ સ્પેશિયલ ખાતીપુરા જયપુરથી 26 સપ્ટેમ્બરના બપોરે 15:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 04:00 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેનને પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, મારવાડ, સોજત રોડ, બ્યાવર, દોરાઈ, અજમેર, મદાર, કિશનગઢ, ફુલેરા, જયપુર અને ગાંધીનગર (જયપુર) માં સ્ટોપેજ આપવામાં આવ્યું છે.