26 ઓગસ્ટથી બેંકના ટ્રાંજેક્શનના ટાઈમ બદલાઈ જશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/RTGS-Payment.jpg)
નવી દિલ્હી, ડિજિટલ ટ્રાંઝેક્શનના પ્રમોશન માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) નેશનલ રિઅલ ટાઇમ ગ્રીસ સેટલમેન્ટ સિસ્ટમ (આરટીજીએસ) થી ટ્રાંજેક્શનના સમયગાળામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. હવે 26 ઓગસ્ટથી સવારે 8 વાગ્યાથી સાંજે 6.00 વાગ્યા સુધી આરટીજીએસ દ્વારા કરી શકાશે. રિઝર્વ બેંકે બુધવારે કહ્યું, “આરટીઆઈએસએસ સિસ્ટમના લોકો વધુમાં વધુ ઉપયોગ થઈ શકે તે માટે આ સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. આ નવા ટાઈમીંગને લીધો લોકોને બેંકીંગ કામમાં સુવિધાઓ ઉભી થશે.
26 ઓગસ્ટથી આરટીજીએસ RTGS સિસ્ટમના નવા ટાઈમ નીચે મુજબ છે.
સર્વિસ આરંભ- સવારે 7 વાગ્યાથી
કસ્ટમર ટ્રાંજેક્શન સમય- સાંજે 6 વાગ્યા સુધી
ઇન્ટર-બેંક ટ્રાંઝેક્શન સમય- સાંજે 7.45 pm
ઇન્ટ્રા-ડે લિક્વિડ્ટી (આઈડીએલ) રિવર્લ્સ સમય- સાંજે 7.45 થી 8 વાગ્યા સુધી
શું છે આરટીજીએસ?
આરટીજીએસ એટલે કે રિયલ ટાઇમ ગ્રોસ સેલેંટમેન્ટ તે સિસ્ટમ છે તેના દ્વારા નાણાં ટ્રાન્સફર એક ખાતામાંથી બીજી બેન્કના અન્ય કોઈ એકાઉન્ટમાં નાણાં તરત જ થઈ જાય છે. વ્યક્તિગત ખાતાધારકો અને કંપની RTGS મારફતે નાણાં એક ખાતામાંથી બીજા ખાતામાં લગભગ 1 કલાકની અંદર જ કરી શકે છે. 2 લાખની રકમથી મોટી રકમ માટે RTGS થાય છે. અને તેનાથી નાની રકમ માટે IMPS અથવા NEFT કરી શકાય છે.
એનઇએફટી એક રિટલ પેમેન્ટ સિસ્ટમ છે. તે ગ્રાહકો માટે સવારે 8 વાગ્યાથી સાંજ સુધી 7 વાગ્યે ઉપલબ્ધ થાય છે. આ સુવિધા બેંકની રજાઓ અને મહિનાઓની બીજી ચોથા શનિવારના દિવસે કરી શકાતા નથી.