કટનીથી પ્રયાગરાજ સુધી ૩૦૦ કિમી લાંબો ટ્રાફિકજામ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/traffic-1024x630.jpg)
(એજન્સી)પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળા તરફ જતા રસ્તાઓને ૩૦૦ કિલોમીટર સુધી લાંબો કારનો ટ્રાફિક જામ થયો હતો. વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળામાં હાજરી આપવા માટે ઉત્સુક લાખો યાત્રાળુઓ રવિવારે મેળા સ્થળથી સેંકડો કિલોમીટર દૂર પોતાની કારમાં ફસાયેલા જોવા મળ્યા હતા.
પ્રયાગરાજ મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓ માટે જબલપુર, કટની, રેવા થઈને પ્રયાગરાજ જતા મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા કલાકોથી લાંબો જામ છે. કટની પોલીસે તો લોકોને હાથ જોડીને પાછા ફરવા અપીલ પણ કરી છે.
આ જામનું મુખ્ય કારણ મહાકુંભમાં ભાગ લેવા માટે લાખો ભક્તોનું રસ્તાઓ પર આગમન છે. ટોલ બેરિયર્સ પર મનસ્વી વસૂલાત પણ આ સમસ્યાને વધારી રહી છે. દક્ષિણ ભારતમાંથી આવતા ભક્તો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે, જેના કારણે ટ્રાફિકનું દબાણ વધુ વધી ગયું છે. વહીવટીતંત્રની અપૂરતી તૈયારી પણ સામે આવી છે.
એક રિપોર્ટ અનુસાર, ૨૦૦-૩૦૦ કિમી સુધી ટ્રાફિક જામ થયો હતો જેમાં મધ્યપ્રદેશ થઈને મહા કુંભ મેળા તરફ જતા યાત્રાળુઓના વાહનોનો સમાવેશ થતો હતો અને રવિવારે ત્યાંની પોલીસે વિવિધ જિલ્લાઓમાં ટ્રાફિક બંધ કરી દીધો હતો, જેના કારણે લોકો ઘણા કલાકો સુધી રસ્તાઓ પર અટવાઈ ગયા હતા.
કટની જિલ્લામાં પોલીસ વાહનોએ જાહેરાત કરી કે સોમવાર સુધી ટ્રાફિક બંધ છે, જ્યારે મૈહર પોલીસે વાહનોને કટની અને જબલપુર તરફ પાછા ફરવા અને ત્યાં જ રહેવા કહ્યું હતુ. પીટીઆઇએ એક રિપોર્ટમાં પોલીસને ટાંકીને કહ્યું હતું કે “આજે પ્રયાગરાજ તરફ આગળ વધવું અશક્ય છે કારણ કે ૨૦૦-૩૦૦ કિલોમીટરનો ટ્રાફિક જામ છે.
સોશિયલ મીડિયા પરના ઘણા વીડિયોમાં મધ્યપ્રદેશના કટની, જબલપુર, મૈહર અને રેવા જિલ્લાઓના રસ્તાઓ પર હજારો કાર અને ટ્રકની મોટી કતારો જોવા મળી રહી છે. પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો છે કે રેવા જિલ્લાના ચકઘાટ ખાતે કટનીથી એમપી-યુપી સરહદ સુધીના ૨૫૦ કિલોમીટરમાં ભારે ટ્રાફિક જામ છે.
300 km long traffic jam has choked roads to Prayagraj as lakhs of devotees head to Maha #kumbh. Vehicles stuck for hours, movement nearly impossible Heavy congestion from Katni, Jabalpur, Maihar & Rewa in Madhya Pradesh