Western Times News

Gujarati News

4 વર્ષની અપહ્રુત બાળકીને આરોપીની ચુંગાલમાંથી ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ છોડાવી

નવરંગપુરામાં ૪ વર્ષની બાળકીનું અપહરણ, ક્રાઈમ બ્રાન્ચે આરોપીની કરી ધરપકડ-બાળકી ઓળખાય નહિં તે માટે વાળ કાપી નાંખ્યા

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના નવરંગપુરામાંથી સામે આવ્યો છે. નવરંગપુરામાં ૪ વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. The four-year-old girl who went missing from the Law Garden area four days ago was traced by  @AhmedabadPolice  Special kudos to city crime branch to put 70 police persons to work on the case despite no CCTV footage available.

મળતી માહિતી મુજબ અમદાવાદના નવરંગપુરામાં ૪ વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારે બાળકીની ઓળખ ન થાય માટે તેના વાળ કપાવી નાખ્યા હતા. તે આરોપીએ બાળકીને છુપાવી રાખી હતી. જેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહ્યું હતું.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાળકીને આરોપીની ચુંગાલમાંથી છોડાવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અપહરણકર્તાના સકંજામાંથી માસૂમને ઉગારી લીધી હતી. બાળકીને જોતા માતાપિતા રડી પડ્‌યા હતા.

આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.આવી ઘણી ઘટનાઓ અમદાવાદમાં બની છે. જેમાં આરોપીઓએ નાની બાળકીઓનું અપહરણ કરીને તેમની સાથે ખરાબ કૃત્ય કર્યું હોય.

ત્યારે નાની ૪ વર્ષીય બાળકીને કિડનેપરની ચુંગાલમાંથી બચાવી લેવાઈ છે. તેમજ બાળકીને તેના માતાપિતાને પરત સોંપી દેવામાં આવી છે.તો આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

ક્રાઈમ બ્રાન્ચે બાળકીની તપાસ માટે આઠ જેટલી અલગ-અલગ ટીમ બનાવી હતી. દરેક ટીમમાં 4-4 વ્યક્તિ CCTV એનાલિસિસ કરવાના એક્સપર્ટ તરીકે રાખવામાં આવ્યા હતા. બાળકી જે જગ્યાએથી ગુમ થઈ તે જગ્યાના CCTV તપાસવામાં આવ્યા પરંતુ, લો ગાર્ડનના તમામ CCTV બંધ હતા. જેથી, પોલીસને શરૂઆતમાં કોઈ ભાડ મળી ન હતી. ત્યારબાદ અમદાવાદના પશ્ચિમ વિસ્તારના અનેક CCTV પોલીસ દ્વારા તપાસવામાં આવ્યા હતા.

આ દરમિયાન રિવરફ્રન્ટ પરથી પોલીસને બાળકી એક મહિલા પાસેથી મળી આવી હતી. પોલીસે મહિલાની ધરપકડ કરીને બાળકીને મુક્ત કરાવી હતી. પોલીસે બાળકી સાથે નિકિતા દંતાણી નામની મહિલાની ધરપકડ કરી હતી. નિકિતા બાળકીને શનિવારે અપહરણ કરીને લઈને ગઈ હતી ત્યારબાદ અલગ-અલગ જગ્યાએ ફરતી હતી.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, નિકિતાના પહેલા લગ્ન થયા ત્યારે તેનો પતિ ગંભીર બીમારીના કારણે મૃત્યુ પામ્યો હતો. ત્યારબાદ તેણે બીજી વખત લવ મેરેજ કર્યા હતા. લવ મેરેજ કરવાના કારણે તેનો પરિવાર તેની સાથે સંબંધ રાખતો ન હતો. બીજા લગ્નથી પણ તેને કોઈ બાળક ના થતા પતિએ પણ તરછોડી દીધી હતી.

તેથી, નિકિતા રિવરફ્રન્ટ અને આસપાસની જગ્યા ઉપર રહીને છૂટક મજૂરી કરતી હતી. શનિવારે નિકિતા લો ગાર્ડન હતી ત્યારે તે આ બાળકી સાથે રમતી હતી. બાળકી સાથે એકાદ કલાક જેટલો સમય તે રમી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.