Western Times News

Gujarati News

તમિલનાડુમાં કારની સાથે અથડાતાં ૫ વિદ્યાર્થીઓના મોત

તમિલનાડુ, તમિલનાડુમાં એક ભયાનક અકસ્માત થયો છે, જેમાં ૫ વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ એસયુવીમાં મુસાફરી કરી રહ્યા હતા. સાત વિદ્યાર્થીઓ જીંફમાં ચેન્નાઈ-તિરુથની હાઈવે પરથી મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન એક ઝડપી ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી.

તમિલનાડુના રામનજેરી પાસે એક ભયાનક અકસ્માતમાં ૫ વિદ્યાર્થીઓના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ એસયુવીમાં મુસાફરી કરી રહ્યા હતા. સાત વિદ્યાર્થીઓ જીંફમાં ચેન્નાઈ-તિરુથની હાઈવે પરથી મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન એક ઝડપી ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ૭માંથી ૫ વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

ઇજાગ્રસ્ત બે વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમની સારવાર ચાલુ છે.પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતની માહિતી મળતાં જ રેસ્ક્યુ ટીમ અને કનાગામચથીરમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માતને કારણે એસયુવી સંપૂર્ણ રીતે નાશ પામી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલી ટીમે લાશને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

બે ઘાયલ લોકોને સારવાર માટે તિરુવલ્લુર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માતને કારણે હાઈવે પર ૨ કલાક સુધી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. અકસ્માત બાદ કનકમ્માછાત્રમ પોલીસે ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે.

પાંચ વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી છે. તમામ ચેન્નાઈની ખાનગી કોલેજમાં અભ્યાસ કરતા હતા. વધુ તપાસ ચાલુ છે.ગયા મહિને ૧૮ જુલાઈના રોજ તમિલનાડુના પુદુક્કોટ્ટાઈમાં પણ એક ભયાનક અકસ્માત થયો હતો. અહીંના નેશનલ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલા તમામ લોકો મંદિર જઈ રહેલા ભક્તો હતા.

અકસ્માત બાદ ચાર લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પાંચમાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અકસ્માત પુદુક્કોટ્ટાઈમાં નેશનલ હાઈવે પર થયો હતો, જ્યાં ૫ ભક્તો પગપાળા મંદિર જઈ રહ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.