Western Times News

Gujarati News

ચિંતાજનકઃ અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના ૫૦ નવા કેસ

એક સગર્ભાનું કોરોનાથી મોત

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮ના વધારા સાથે કોરોનાના ૩૩૮ દર્દીઓ સારવાર હેઠળ છે

મુંબઈ,ગુજરાતમાં કોરોનાના કેસને મામલે અમદાવાદ એપિસેન્ટર બની ગયું છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫૦ કેસ વર્ષીય સગર્ભાનું મૃત્યુ થયું છે. અમદાવાદમાં કોરોનાથી મૃત્યુની આ સતત બીજી ઘટના છે. અગાઉ ૪૭ વર્ષીય મહિલાએ પણ એલ.જી હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો હતો. બીજી બાજું ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક વધીને ૩૩૮ થયો છે. અમદાવાદમાં બીજી જૂનના સવારની સ્થિતિએ કોરોનાના ૫૦ નવા કેસ નોંધાયા હતા. જેમાંથી ૧૬દર્દીઓ સાજા થયા હતા.

બીજી તરફ વિંઝોલની ૧૮ વર્ષીય સગર્ભાનું કોરોનાથી મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. આ મહિલા શ્વાસની સમસ્યા સાથે બે દિવસ અગાઉ એલ.જી હોસ્પિટલમાં દાખલ થઈ હતી. આ દરમિયાન તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે સોમવારે સવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. અમદાવાદમાં અત્યાર સુધી કોરોનાના ૨૭૦ કેસ નોંધાઈ ચૂક્યા છે. ૭૨ દર્દીઓ સાજા થયા છે જ્યારે બે વ્યક્તિના મૃત્યુ થયા છે. આમ ૧૯૭ દર્દીઓ કોરોનાની હાલ સારવાર હેઠળ છે. ઝોન પ્રમાણે જોવામાં આવે તો ઉત્તરપશ્ચિમમાં સૌથી વધુ ૬૧, પશ્ચિમ ઝોનમાં ૫૩, દક્ષિણપશ્ચિમ ઝોનમાં ૩૭કેસ નોંધાયા છે.

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોનાના ૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ૪૪ વર્ષીય, ૭૪ વર્ષીય પુરુષ અને ૮ માસની બાળકીનો સમાવેશ થાય છે. જેમાંથી ૮ માસની બાળકી છેલ્લાં ચાર દિવસથી ઓક્સિજન હેઠળ છે.બીજી તરફ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮ના વધારા સાથે કોરોનાના ૩૩૮ દર્દીઓ સારવાર હેઠળ છે. કુલ ૧૧ દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસને મામલે કેરળ ૧૪૩૫ સાથે મોખરે, મહારાષ્ટ્ર ૫૦૬ સાથે બીજા, દિલ્હી ૪૮૩ સાથે ત્રીજા જ્યારે ગુજરાત ચોથા સ્થાને છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.