Western Times News

Gujarati News

આંખની વાત આત્માના કાન સુધી નથી પહોંચતી

એક મહાપ્રતાપી રાજાએ નૈમિષારણ્યમાં એકત્રીત થયેલા દશ હજાર ઋષિ-મુનિઓને નિવેદન કર્યું કે, આત્માના ગૂઢ તત્વ સુધીની તમારી પહોચે છે. તો કૃપા કરીને મને પણ આત્મદર્શન કરાવો !’

ઋષિ-મંડળીમાં મૌન છવાઈ ગયું. રાજા નિરાશ થઈને પાછો ફરતા હતો. ત્યાં અષ્ટાવક્ર તેની સામે રસ્તામાં મળ્યા. અષ્ટાવક્રે રાજાને કહ્યું, ‘રાજા હું શરીરથી અસમર્થ છું. અત્યાધિક થાકેલો છું. આજે આ માર્ગમા વિશ્વાસ કરીશ. તારો રથ કોઈ બીજે રસ્તે થઈને લઈ જા.’

રાજા ક્રોધ ભરાઈને બોલ્યોઃ ‘દૂર ખસેડો આ અધમ, અપંગ માંસના લોચાને. ‘અષ્ટાવક્રે શાંતિથી કહ્યુંઃ રાજન પાસે જ બીજાે માર્ગ છે, તમે ત્યાંથી કેમ નથી જતાં ?’ રાજાએ હઠે ભરાઈને કહ્યું, નહીં, હું આ માર્ગે જ જઈશ.’ અષ્ટાવક્રે કહ્યુંઃ ‘કેમ ? આ માર્ગથી જ જવાથી તમને શું મળી જવાનું હતું ? રાજા ક્રોધી અંધ બની બોલ્યો ‘ ભલે કંઈ ન મળે, હું તો આ માર્ગેથી જ જઈશ, માટે ખસી જા.’ જે માર્ગે કશું જ નથી મળવાનું, એ બાજુ જવાની હા કરવી એ મૂર્ખતા નથી રાજન ?’ અષ્ટાવક્રે જ્ઞાનભરી ટીકા કરી.

રાજા ચમકયો અને શાંત પડી પુછયુંઃ તારો શો મતલબ અષ્ટાવક્ર ?’ એ જ કે આંખ મીચીને ચાલનારને કશું ન દેખાય તે બિચારા ઋષિ મુનિઓ શું કરે ?’ રાજા રથમાંથી ઉતરી પડયો અને અષ્ટાવક્રને પગે પડયો.

અષ્ટાવક્ર ઋષિએ ક્હ્યું, ‘બસ, આ જ આત્મદર્શન છે. રાજા પળે પળ જીવને આત્મદર્શન થયા જ કરે છે, મુશ્કેલી એ છે આંખની વાત આત્માના કાન સુધી નથી પહોંચતી.’
આત્મદર્શનાથીઓ માટે આ બોધ લાભદાયી છે. આ સાધુઓને કહીએ કે મને આત્મદર્શન કરાવો તેનો શો અર્થ ? દરેક મનુષ્ય પોતે જ પોતાની જાતે આત્મદર્શન કરી શકે છે. આ બધા જ્ઞાનની ગુરુની મદદ લો તેની ના નહી. પણ યાદ રાખો કે આંખવાળા મનુષ્ય પોતે જ પોતાની જાતે આત્મદર્શન કરી શકે છે. આ બાબત જ્ઞાની ગુરુની મદદ લો તેની ના નહી. પણ યાદ રાખો કે આંખવાળી મનુષ્ય કહે કે મને રસ્તો બતાવો, મને દોરી જાવ તેનો શો અર્થ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.