Western Times News

Gujarati News

શું વડાપ્રધાનની મુલાકાત ભેદભાવપૂર્ણ નથી : NCP

મુંબઇ: મહારાષ્ટ્રમાં શાસક મહાગઠબંધન, મહા વિકાસ અઘાડી (એમવીએ) ના ઘટક શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસે બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત અને ચક્રવાતી વાવાઝોડા તાઉ-તેથી પ્રભાવિત ગુજરાત અને દીવની મુલાકાત પર સવાલ ઉઠાવ્યા હતા. એનસીપીએ કહ્યું કે શું વડા પ્રધાનની મુલાકાત ભેદભાવ પૂર્ણ નથી. મહારાષ્ટ્ર સાથે ભેદભાવ કેમ..? મહારાષ્ટ્રને પણ આ વાવાઝોડાની અસર થઇ છે.

શિવસેનાના સાંસદ સંજય રાઉતે તેની પાછળની રાજનીતિનો આરોપ લગાવતા કહ્યું કે વડા પ્રધાન મહારાષ્ટ્રના ચક્રવાત અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વે કરી રહ્યા નથી કારણ કે તેઓ જાણે છે કે અહીં તેમના હોમ ટાઉન ગુજરાત કરતા વિપરીત એક મજબુત હાથોમાં મહારાષ્ટ્રની કમાન છે.

તે જ સમયે, મહારાષ્ટ્રના પ્રધાન અને એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે, ‘આજે વડા પ્રધાન મોદી જી દમણ, દીવ અને ગુજરાતમાં ચક્રવાતની અસરથી પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે કરી રહ્યા છે. તમે મહારાષ્ટ્રમાં કેટલાક અસરગ્રસ્ત વિસ્તારો કેમ નથી કરી રહ્યા? શું આ સ્પષ્ટ ભેદભાવ નથી? ‘

રાઉતે કહ્યું, ‘વડા પ્રધાન ચક્રવાતને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે મહારાષ્ટ્રનો હવાઈ સર્વે કરી રહ્યા નથી, કેમ કે તેઓ જાણે છે કે રાજ્યનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે જેવા મજબૂત અને કાર્યક્ષમ નેતાઓ સંભાળી રહ્યા છે, જે તમામ સમસ્યાઓનો સામનો કરવા માટે સક્ષમ છે. તેમણે કહ્યું કે, વડા પ્રધાન તેમના ગૃહ રાજ્યની મુલાકાત લીધી છે જ્યાં નબળી રાજ્ય સરકાર છે અને ચક્રવાતને કારણે મહત્તમ નુકસાન થયું છે. રાઉતે કહ્યું હતું કે, ચક્રવાતને કારણે મહારાષ્ટ્ર અને ગોવામાં પણ વિનાશ સર્જાયો છે. એ યાદ રહે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ગુજરાતના ભાવનગર પહોંચ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.