Western Times News

Gujarati News

જાે દાતાને દાન આપતી વખતે કોઈ મોટું કામ કર્યાની લાગણી થતી હોય તો એ તેમનો અહમ્‌ કહેવાય.

 જાે દાતા અપમાનાસ્પદ રીતે-તિરસ્કારપૂર્વક દાન આપે અને દાન સ્વીકારનાર પણ જાે એ જ રીતે તેઓ સ્વીકાર કરે તો બન્ને નરકમાં જાય છે.

દાતા જ્યારે આદરપૂર્વક દાન કરે છે અને દાન સ્વીકારનાર જ્યારે એટલા જ માનથી તેનો સ્વીકાર કરે છે ત્યારે તેઓ બન્ને સ્વર્ગમાં સ્થાન પામે છે. તેનાથી વિપરીત, જાે દાતા અપમાનાસ્પદ રીતે-તિરસ્કારપૂર્વક દાન આપે અને દાન સ્વીકારનાર પણ જાે એ જ રીતે તેઓ સ્વીકાર કરે તો બન્ને નરકમાં જાય છે.

અહીં થોડા વર્ષો પહેલાંનો એક કિસ્સો યાદ આવે છે. હું મારા મિત્રો સાથે એક લગ્નમાં ગયો હતો. બીજા કેટલાક મિત્રો હજી આવ્યા ન હતા. મને બાજુના બેંકવેટ હોલમાં થોડો કોલાહલ સંભળાયો અને મેં જિજ્ઞાસાવશ ત્યાં ડોકિયું કર્યુ તો સ્ત્રીઓ અને પુરૂષો મળીને આશરે ૭૦-૮૦ જણનો સમૂહ ત્યાં દેખાયો. સ્ટેજ પરથી આધેડ વયની એક મહિલાને ૭પ હજાર રૂપિયાનો ચેક આપવામાં આવી રહ્યો હતો અને એ પ્રસંગના ફોટા લેવાઈ રહ્યાં હતા. બીજા બધા લોકો તાળીઓ પાડીને એ ઘટનાને વધાવી રહ્યાં હતા. દાતાઓની ઉદારતા બદલ પ્રશંસાનાં પુષ્પોની વર્ષા થઈ રહી હતી.

તેમણે કોઈ નાનકડા ગામમાંથી આવેલી આ આધેડ મહિલાને કિડની પ્રત્યારોપણ માટે ૭પ હજાર રૂપિયાની સહાય કરી હતી. આપણે સાચું શું અને ખોટું શું અથવા તો સારૂં શું અને ખરાબ શું એ બાબતે કોઈ પણ ટિપ્પણી કર્યા વગર ફક્ત એટલું વિચારવું રહ્યું કે આટલા બધા લોકોની વચ્ચે ચેક સ્વીકારતી વખતે મહિલાના મનમાં કયા વિચારો ચાલતા હશે.
એ ચેકની તેની સારવાર માટે ચોક્કસપણે કામમાં આવવાનો હતો પણ શું તમને લાગે છે કે એ ચેક આપવા માટે આવો કાર્યક્રમ યોજવાની જરૂર હતી? દાન આપનારે દાન લેનારની ગરિમાનું ધ્યાન રાખવું જાેઈએ અને એ વ્યક્તિનું ગૌરવ સચવાય એ પ્રમાણે દાન આપવું જાેઈએ. એ જ રીતે દાન સ્વીકારનારે પણ ગરિમાપૂર્વક દાનનો સ્વીકાર કરવો જાેઈએ.

અન્ય એક ઘટનામાં એક હોસ્પિટલના જનરલ વોર્ડમાં બિછાનાંની સંખ્યા વધારવા માટે ભંડોળ એકઠું કરવામાં આવી રહ્યું હતું. ટ્રસ્ટીઓ નાણાં ઉભા કરવા માટે ઘણી જહેમત ઉઠાવી રહ્યાં હતા. એ કામ માટે આશરે ૮પ લાખ રૂપિયાની આવશ્યકતા હતી.

એક વડીલ ટ્રસ્ટીઓને મળવા માટે વિનંતી કરી રહ્યાં હતા. તેમણેુ અગાઉથી ટ્રસ્ટીઓની એપોઈન્ટમેન્ટ લીધી ન હતી. તેઓ લગભગ નજીકના કોઈ નાના શહેરમાંથી આવ્યા હોય એવું લાગતું હતું. દોઢેક કલાક રાહ જાેયા બાદ તેમને ટ્રસ્ટીઓને મળવા જવા દેવાયા.

વાસ્તવિકતા એવી હતી કે થોડાં વર્ષો પહેલાં એ સજ્જનનાં પત્નીની સારવાર આ જ હોસ્પિટલમાં થઈ હતી. તેઓ જનરલ વોર્ડ માટે ફૂલ નહીં ને ફૂલની પાંખડી સમાન પ,૦૦૦ રૂપિયાની રકમ આપવા ઈચ્છતા હતા. એ રકમ તેમના એક મહિનાના પેન્શન જેટલી હતી.

ટ્રસ્ટીએ એ રકમ તો સ્વીકારી પરંતુ એ સ્વીકારતી વખતે તેમના ચહેરા પર ઉદાસીનતા જાેવા મળી. મનુસ્મૃતિના શ્લોક ક્રમાંક ૪,ર૩પ માં કહેવામાં આવ્યું છે કે દાન આપતી અને લેતી વખતે ગરિમા જળવાવી જાેઈએ. આપણે એ પણ સાંભળતાં આવ્યા છીએ કે જમણા હાથેથી દાન આપો તો ડાબા હાથને પણ ખબર પડવી જાેઈએ નહિં.

મનુએ ઉક્ત શ્લોકમાં સ્વર્ગ અને નરકમાં જવાની વાત પણ કરી છે. આવી કોઈ જગ્યાએ છે કે નહીં એ તો ઈશ્વર જ જાણે. પરંતુ એ બન્ને શબ્દો સાંભળીએ ત્યારે આપતા મનમાં અલગ-અલગ લાગણીઓ જન્મે છે. જ્યાં સુખ અને શાંતિ તથા પ્રસન્નતા હોય એને આપણે સ્વર્ગ કહીએ છીએ અને જ્યાં અહંકાર, ઈષ્ર્યા, અસલામતી હોય એ જગ્યાને આપણે નરક કહીએ છીએ.

દાન આપવા બદલ તેમની કદર થશે. એ કદરદાનીથી થોડો સમય તેમને સારૂં લાગશે, પરંતુ પછીથી તેમને એની આદત પડી જશે. આ જ રીત.ે જાે દાન સ્વીકારનાર વ્યક્તિ ઘમંડ રાખીને દાનનો સ્વીકાર કરે તો પરોક્ષ રીતે એ કોઈકની લાગણીઓ છુપાવી રહ્યો છે એમ કહી શકાય. ખાસ જણાવવાનું કે દાન આપનાર વ્યક્તિ દાન આપીને કોઈના પર ઉપકાર કરતા નથી. શક્ય છે કે આ ભવની કે ગયા ભવની કોઈ લેણાદેણી બાકી હોય. દાન મેળવનાર વ્યક્તિની ફરજ છે કે તે જ્યારે સમર્થ બને ત્યારે તેણે સમાજ પ્રત્યેનું ઋણ પાછું વાળવું જાેઈએ. દાન સ્વીકારનાર વ્યક્તિ ગરિમાપૂર્વક જાે દાન સ્વીકારે તો દાતા ઋણમુક્ત થઈ જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.