Western Times News

Gujarati News

કેરળ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, અપરિણીત માતાઓ માટે લીધો મોટો ર્નિણય

કેરળ, છેલ્લા કેટલાક દિવસોથી કેરળ હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યા છે કે અવિવાહિત કે એકલી માતાથી જન્મેલા બાળકોની નોંધણીના અલગ ફોર્મ જાહેર કરાય. ખાસ કરીને જે બાળકો જેમને એઆરટી ની મદદછી જન્મ અપાયો છે. આવા બાળકોની નોંધણી માટે નક્કી ફોર્મમાં પિતાની માહિતી માંગવામાં આવે. ન્યાયાલયે આ ર્નિણયને એકલી માતાના આત્મસમ્માનને બનાવી રાખવા માટે આવશ્યક પગલું માન્યું છે. માતાનો સંધર્ષ શા માટે અને કેમ, શું એક માતા પોતાના બાળકના કલ્યાણને વિશે ર્નિણય લેવા માટે અયોગ્ય હોઈ શકે ?

એવો કોઈ સામાજિક, આર્થિક, વૈજ્ઞાનિક કે જૈવિક આધાર નથી કે માતા બાળકનું રક્ષણ કરવા સક્ષમ ન હોય. તો આ બધા પ્રશ્નો આ ભેદભાવ માત્ર લિંગ પર આધારિત હોવાથી બંધારણના અનુચ્છેદ ૧૪ અને ૧૫ માં આપેલા સમાનતાના વચનનું ઉલ્લંઘન નથી? ગીતા હરિહરણે બે દાયકા પહેલા સુપ્રીમ કોર્ટને પૂછ્યું હતું કારણ કે ભારતના હિન્દુ લઘુમતી અને વાલી અધિનિયમ ૧૯૫૬ ની કલમ ૬ અને વાલી અને વોર્ડ અધિનિયમ ૧૮૯૦ ની કલમ ૧૯ માતાને સગીર પુત્ર અને પુત્રીના કુદરતી વાલી તરીકે માન્યતા આપતી નથી.

૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૯ ના રોજ, ગીતા હરિહરનની અરજી પર સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ચુકાદો આપતા કહ્યું હતું કે ‘તે એક સ્વયં સત્ય છે કે સગીર બાળકના માતા -પિતા બંને તેની યોગ્ય કાળજી લેવા માટે બંધાયેલા છે’.

આ જ બેન્ચના સભ્યોમાંના એકે કહ્યું, ‘પિતા પ્રબળ વ્યક્તિત્વ હોવાને કારણે વાલીપણાની બાબતમાં માતા પર પસંદગીનો અધિકાર હોવાનું ગણી શકાય નહીં.’ સમય પસાર થયા પછી પણ, જાે આપણે કાયદાકીય જાેગવાઈઓ અને જુદી જુદી અદાલતોના અર્થઘટનને એકસાથે જાેઈએ તો સગીર બાળકોના કલ્યાણ અને રક્ષણનો અધિકાર હજુ પણ પિતા પાસે છે.

જ્યારે પાછલા દાયકાઓમાં લગ્નનું બંધન ન સ્વીકારવા છતાં મા બનવા માંગતી મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે અને આ માટે તેઓ કાયદેસર રીતે બાળકોને દત્તક લઈ રહ્યા છે અથવા ૈંફહ્લ દ્વારા કુંવારા હોવા છતાં બાળકોને જન્મ આપી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.