લખીમપુર હિંસાની તપાસ માટે ઈન્કવાયરી કમિશન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Lakhimpuri.jpg)
લખનૌ, દેશભરમાં ચકચાર જગાવનાર લખીમપુર હિંસાના કેસમાં હવે સરકારે તપાસ માટે એક ઈન્કવાયરી કમિશન બનાવ્યુ છે. જેના અધ્યક્ષ તરીકે હાઈકોર્ટના પૂર્વ જજ પ્રદીપ કુમાર શ્રીવાસ્તવની નિમણૂંક કરવામાં આવી છે.
આ કમિશન એક સભ્યનુ જ હશે અને આ માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવાયુ છે કે, રાજ્યપાલનુ માનવુ છે કે, આ મામલામાં જે પરિસ્થિતિઓ સર્જાઈ છે તેને જાેતા તપાસ કરવી જરુરી બની જાય છે. આ કમિશન બે મહિનામાં તપાસ પૂરી કરશે. આ દરમિયાન જરૂર લાગશે તો તેના સમયગાળામાં ફેરફાર કરવામાં આવશે.
દરમિયાન આ ઘટનાનો વધુ એક વિડિયો ગઈકાલે સામે આવ્યો હતો. જેમાં થાર જીપ ખેડૂતોને કચડી નાંખતી નજરે પડે છે. ખેડૂતો હાથમાં કાળા ઝંડા સાથે માર્ચ કરી રહ્યા છે અને એ દરમિયાન પાછળથી ઝડપથી થાર ગાડી આવે છે અને ખેડૂતોને કચડીને તેમના પરથી પસાર થતી દેખાય છે. લખીમપુર હિંસામાં ખેડૂતો અને ભાજપના કાર્યકરો સહિત ૯ લોકોના મોત થયા હતા.SSS