ઉત્તરાખંડ હોનારત: કુમાઉં ડિવિઝનમાં ફસાયા 700થી વધારે પર્યટક

દહેરાદૂન, ઉત્તરાખંડમાં ત્રણ દિવસની મૂશળધાર વરસાદના કારણે આવેલી આપત્તિના કારણે બંધ થયેલા રસ્તા ભલે જ હવે ખુલવા લાગ્યા છે પરંતુ કુમાઉં મંડળમાં હજુ પણ 700થી વધારે પર્યટક અલગ-અલગ કારણોથી ફસાયેલા છે. જેમાં ચાર વિદેશી પર્યટકના ફસાયા હોવાની વાત કહેવામાં આવી રહી છે.
નૈનીતાલ જિલ્લામાં હજુ પણ 165થી વધારે પર્યટક ફસાયા જિલા પોલીસે બૃહસ્પતિવારે આવા 40 પર્યટકોને બહાર કાઢ્યા. કેટલાક પર્યટકોની ગાડીનુ ઓઈલ ખતમ થઈ ગયુ હતુ. કેટલાક પર્યટક પેડલ જ નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ત્રણ દિવસ સુધી થયેલા મૂશળધાર વરસાદથી જિલ્લામાં અલગ-અલગ સ્થળ પર્યટક ફસાઈ ગયા હતા. જોકે પોલીસ અને વહીવટીતંત્રએ રાહત અને બચાવ કાર્ય કરી કેટલાક સ્થળથી પર્યટકને નીકાળી લીધા. બુધવારે અને ગુરૂવારે મોસમ સાફ હોવા અને કેટલાક માર્ગના ખુલ્યા જવાથી પર્યટકોને નીકાળવાનુ કામ શરૂ થયુ.
એસડીએમ સાથે સંપર્ક કરીને પર્યટકોની ગાડીમાં ઓઈલ ભરાવ્યુ. પોલીસ અનુસાર રામગઢમાં ફસાયેલા લોકોને પણ પોલીસ સતત નીકાળી રહી છે. બીમાર લોકોની સારવાર પણ ચાલી રહી છે. સૂત્રો અનુસાર ચાર વિદેશી પણ ફસાઈ ગયા છે. તેઓ પોતાના દેશ જવા ઈચ્છે છે. બાગેશ્વર જિલ્લામાં લગભગ 400થી વધારે પર્યટક હજુ પણ ફસાયેલા છે.
રાનીકોટા-દેવીપુરા સૌડ મોટર માર્ગ દરેક જગ્યાએથી ક્ષતિગ્રસ્ત થવાથી કોટાબાગ બ્લોકના 14 ગ્રામ પંચાયતના ગ્રામીઓનો સંપર્ક કોટાબાગ અને નૈનીતાલથી કપાઈ ગયો છે. ખેડૂતોના પાક મુશ્કેલીમાં નષ્ટ થઈ ચૂક્યા છે. બાંસીના બુરાસી નાળામાં બનેલો પુલ તૂટવાની કગાર પર છે.
કોટાબાગના પર્વતીય ક્ષેત્ર ગ્રામ પંચાયત ડોલા, રિયાડ, જલના, બાઘની, બાંસી સૌડ બગડ, ઓખલઢૂંગા, ડોન પરેવા, ગોરિયાદેવ તલિયા વગેરે 20 ગ્રામ પંચાયતમાં આપત્તિના કારણે જનજીવન પ્રભાવિત થઈ ગયુ. જનપ્રતિનિધિએ ડીએમને કોટાબાગના અમગડી, ડોલા અને સ્યાત ન્યાય પંચાયતમાં તહસીલદાર અને સંબંધિત પટ્ટી પટવારીથી સર્વે કરાવવા અને મુશ્કેલીની ચપેટમાં આવેલા ગ્રામીણોના મકાન, ગૌશાળા અને કૃષિ ભૂમિનો રિપોર્ટ બનાવીને વળતર અપાવવાની માગ કરી છે.