પંજાબ સરકારના તમામ કેબિનેટમંત્રી કરતારપુર સાહિબના દર્શનાર્થે જશે

ચંડીગઢ, કરતારપુર કોરિડોર આજથી૧૭ નવેમ્બરથી ફરી શરૂ થઇ ગયો છે રહ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે ટ્વીટ કરીને જાહેરાત કરી હતી. તેમણે કહ્યું છે કે આ ર્નિણયથી મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓને ફાયદો થશે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કેન્દ્ર સરકારના આ ર્નિણયને આવકાર્યો છે. તેમણે જાહેરાત કરી કે તેઓ સમગ્ર કેબિનેટ સાથે શ્રી કરતારપુર સાહિબ જશે અને ૧૮ નવેમ્બરે માથું નમાવશે.
મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની ડેરા બાબા નાનક પાસે પંજાબના ગૃહમંત્રી સુખજિંદર સિંહ રંધાવાના ધરોવલી ગામમાં સુખજિંદર સિંહ રંધાવાના સ્વર્ગસ્થ પિતા સંતોખ સિંહ રંધાવાની પુણ્યતિથિ પર પહોંચ્યા હતા. ડેરા બાબા નાનકના ધરોવલી ગામમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે કરતારપુર કોરિડોર ખોલવા બદલ તેઓ શીખોને અભિનંદન પાઠવે છે.
સીએમ ચન્નીએ કહ્યું કે થોડા દિવસો પહેલા તેમણે કોરિડોરને ફરીથી ખોલવાના વિષય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સાથે વાત કરી હતી. થોડા દિવસો પહેલા, ડેરા બાબા નાનક પહોંચ્યા પછી, પંજાબ કોંગ્રેસના વડા નવજાેત સિંહ સિદ્ધુએ પણ કાચા દર્શન સ્થળથી દૂરથી ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબની મુલાકાત લીધા પછી કોરિડોર ફરીથી ખોલવાની પ્રાર્થના કરી હતી.HS