મધ્યપ્રદેશમાં બસ અને ટ્રક સામસામે ટકરાતા ૬નાં મોત

પ્રતિકાત્મક
બેતુલ, મધ્યપ્રદેશના બેતુલમાં બુધવારે બપોરે એક ગમખ્વાર અકસ્માતમાં ૬ના મોત થયા હતા અને ૧૬ ઘાયલ થયા હતા. બેતુલના માલતાઈ પાસે બસ અને ટ્રક સામસામે અથડાયા હતા, જેમાં બસ ડ્રાઈવર સહિત ૬ લોકોના મોત થયા હતા. ૧૬ મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોને મુલતાઈ સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાકને જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
બેતુલના પ્રભાત પટ્ટનથી મુલતાઈ જઈ રહેલી બસને નરખેડ પાસે મુલતાઈથી મક્કા જઈ રહેલી ટ્રકે ટક્કર મારી હતી. ટક્કર બાદ બસ સ્થળ પર જ પલટી ગઈ હતી અને આગળ જતાં ટ્રક પણ પલટી ગઈ હતી.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને એમ્બ્યુલન્સ સિવાય સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્ત મુસાફરોને એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ખાનગી પેસેન્જર બસમાં ૨૫ મુસાફરો હતા. કેટલાક મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કેટલાક મુસાફરોના હોસ્પિટલમાં મોત થયા હતા.
ડ્રાઈવરને સારવાર માટે નાગપુર લઈ જવામાં આવ્યો હતો, જ્યાં રસ્તામાં તેનું મોત થયું હતુંઘટનાની જાણકારી મળતા જ પોલીસ અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે અને મુલતાઈ હોસ્પિટલ પહોંચ્યા. ઘાયલોની સારવાર ચાલી રહી છે.
પોલીસ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગયું છે. પોલીસે મૃતદેહોને બહાર કાઢીને મુલતાઈ મોકલી દીધા છે. મૃતકોમાં બસ ડ્રાઈવર શેખ રશીદ, છાયા દેવીદાસ પાટીલ, સુનીલ પીપારડે અને ભીમરાવ સહિત આગળ બેઠેલા મુસાફરોના મોત થયા છે. પોલીસ ઘટનાના કારણની તપાસ કરી રહી છે.HS