Western Times News

Gujarati News

કચ્છમાં મોટા ચેકડેમો, હાઈડ્રોલીક સ્ટ્રક્ચરો બનશે

ગાંધીનગર, રાજ્યની જીવાદોરી સમી સરદાર સરોવર યોજનાનું કામ મહદંશે પૂર્ણ થતા ૬૯ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા ઉપલબ્ધ થઇ સમગ્ર રાજ્યને જળ સુરક્ષાનું કવચ મળેલ છે. પર ડ્રોપ મોર ક્રોપના સિદ્ધાંતને ધ્યાને લઇ જળ સંસાધનોના અસરકારક વપરાશ માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજનાના ૧૩૭૧ કિલોમીટર લંબાઈના ૨૪ પેકેજની કામગીરી પૂર્ણ થયેલ છે. જયારે ૧૧૫૦ કિલોમીટર પાઇપલાઇનના ૭ પેકેજાેના કામો પ્રગતિ હેઠળ છે. આ કામગીરીથી પ૩ જળાશયો, ૧૩૦ જેટલા તળાવો અને ૮૦૦ કરતાં વધુ ચેકડેમોમાં મા નર્મદાના પાવન નીર વહેવડાવવામાં આવેલ છે.

રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર જેવા શહેરોને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોને નર્મદા યોજનાના પાણીથી ભરતા આ શહેરોની પાણીની સમસ્યાનો મહદંશે ઉકેલ આવેલ છે. આ યોજના માટે જાેગવાઈ રૂ. ૭૧૦ કરોડ.

કચ્છ વિસ્તારમાં નર્મદાના પૂરના વધારાના ૧ મિલિયન એકર ફીટ પાણીથી સિંચાઇ સુવિધાઓના આયોજન માટે રૂ. ૪૩૬૯ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવેલ છે. આ યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ જિલ્લાના ૬ તાલુકાના અંદાજે ૧ લાખ ૧૪ હજાર હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. આ યોજના માટે જાેગવાઈ રૂ. ૨૭૨ કરોડ.

કચ્છમાં આગામી પાંચ વર્ષમાં રૂ. ૩૫૦ કરોડના ખર્ચે મોટા ચેકડેમો અને પાણી સંગ્રહ માટેના હાઈડ્રોલીક સ્ટ્રક્ચરો તબક્કાવાર બનાવવાનું આયોજન છે. આ કામગીરી માટે જાેગવાઈ રૂ. ૬૫ કરોડ.

સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદા આધારિત રૂ. ૧૬૦૦ કરોડની કસરા દાંતીવાડા પાઈપલાઈનની કામગીરી થકી પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોને પૂરક સિંચાઇનો લાભ આપવા જાેગવાઈ રૂ.૯૩ કરોડ.

બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ આપવા પ્રગતિ હેઠળની થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈન માટે જાેગવાઈ રૂ. ૭૦ કરોડ.

વાત્રક નદીમાંથી અરવલ્લી જિલ્લાના માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકાઓના ૭૨ તળાવો થકી સિંચાઇનો લાભ આપવા માટે રૂ. ૧૮૬ કરોડની યોજના અને શામળાજી પાસે આવેલ મેશ્વો જળાશયમાંથી પાણી ઉદવહન કરી ભિલોડા તથા મેઘરજ તાલુકાના ૩૦ તળાવોથી સિંચાઇનો લાભ આપવા માટે રૂ. ૭૫ કરોડની યોજના. બંને યોજના માટે કુલ જાેગવાઇ રૂ. ૪૫ કરોડ.

સાબરમતી નદી પર રૂ. ૨૦૦ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહેલ હીરપુરા અને વલાસણા બેરેજ માટે જાેગવાઇ રૂ. ૩૫ કરોડ. ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ અને યાત્રાધામ તરીકે વિકસાવવા રૂ. ૨૦૦ કરોડના આયોજન હેઠળ બેરેજ બનાવવા માટે જાેગવાઇ રૂ. ૩૦ કરોડ. કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ, મહુધા, ગળતેશ્વર, બાલાસિનોર, લુણાવાડા, બાયડ વગેરે તાલુકાઓમાં આગામી પાંચ વર્ષમાં રૂ. ૨૦૦ કરોડની કિંમતની રીચાર્જવેલ, પાણીના સ્ત્રોતો સાથે નેટવર્કીંગ, તળાવોની કેપેસીટી વધારવી વગેરે કામગીરીઓ તબક્કાવાર કરવાનું આયોજન છે. આ માટે જાેગવાઈ રૂ. ૧૪ કરોડ.

અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના સાણંદ,બાવળા અને વિરમગામ તાલુકાના સિંચાઈ સુવિધાથી વંચિત રહેલ ગામોને સિંચાઈનો લાભ આપવા માટે જાેગવાઈ રૂ. ૨૫ કરોડ.

ખોરસમ – માતપુર – ડીંડરોલ પાઈપલાઈનને લંબાવી મુકતેશ્વર જળાશયમાં નર્મદાના પૂરના વધારાના પાણી પહોંચાડવાની કામગીરી માટે જાેગવાઈ રૂ. ૧૯ કરોડ.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સિંચાઈ સુવિધા અને રીચાર્જીંગ માટે રૂ. ૩૦૮ કરોડની પોઈચા વિયરની કામગીરી માટે જાેગવાઈ રૂ. ૧૫ કરોડ.

કડાણા નહેર આધારિત પાઇપલાઇન દ્વારા કડાણા, સંતરામપુર અને લુણાવાડા તાલુકાનાં વિવિધ તળાવો ભરવાની યોજનાના કામો માટે જાેગવાઇ રૂ. ૧૦ કરોડ. સુરત જિલ્લાના ઉમરાપાડા તથા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કુલ ૭૩ ગામોમાં સિંચાઇ સુવિધાનો લાભ આપવા માટે પ્રગતિ હેઠળની રૂ. ૭૧૧ કરોડની તાપી-કરજણ લીંક પાઇપલાઇન યોજનાના કામો માટે જાેગવાઇ રૂ. ૧૬૧ કરોડ. પંચમહાલ જિલ્લામાં પાનમ ઉચ્ચ સ્તરીય કેનાલ/જળાશય આધારિત સિંચાઈ સુવિધા આપવા માટે રૂ. ૪૫૨ કરોડની કામગીરી માટે જાેગવાઈ રૂ. ૧૬૦ કરોડ.

દક્ષિણ ગુજરાતમાં પાર, નાર, તાન, અંબિકા, દમણગંગા વગેરે નદીઓ ઉપર મોટા ચેકડેમો/બેરેજાે વિયર રૂ. ૫૦૦ કરોડના ખર્ચે આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર બનાવવાનું આયોજન છે. આ કામગીરી માટે જાેગવાઈ રૂ.૯૪ કરોડ.

હાથ ધરાયેલ ઉદવહન સિંચાઈ યોજનાઓ સોનગઢ-ઉચ્છલ-નિજર, કાકરાપાર ગોરધા-વડ, કરજણ જળાશય આધારિત પાઈપલાઈનો પૂર્ણ કરી સિંચાઈ વિતરણ વ્યવસ્થા માટે જાેગવાઈ રૂ. ૧૯૫ કરોડ.

કડાણા-દાહોદ પાઈપલાઈનનું વિસ્તૃતિકરણ કરી સિંચાઈ સુવિધામાં વધારો કરવા માટે રૂ. ૨૨૬ કરોડની યોજના માટે જાેગવાઈ રૂ. ૭૦ કરોડ.

પાનમ જળાશય આધારિત વાંકડી ગામ પાસેથી સંતરામપુર તાલુકાના ગામોના તળાવો ભરવા માટે રૂ. ૧૩૩ કરોડની ઉદવહન સિંચાઇ યોજના અંતર્ગત ૨૩ ગામોને લાભ આપવા માટે જાેગવાઇ રૂ. ૩૫ કરોડ. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના જુદા જુદા ૧૧ ગામોના આશરે ૧૬૦૦ હેક્ટર વિસ્તારને સિંચાઇ સુવિધા આપવા માટે રૂ. ૮૪ કરોડની યોજના માટે જાેગવાઇ રૂ. ૨૫ કરોડ.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગામોને સિંચાઇનો લાભ આપવા, બિલિમોરા નગરપાલિકા અને આજુબાજુના ગામોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા, દરિયાઇ ખારાશ આગળ વધતી અટકાવવા તેમજ ભૂગર્ભ જળ રીચાર્જ કરવા રૂ. ૨૫૦ કરોડની વાઘરેજ રિચાર્જ યોજનાનું આયોજન.

પૂર્ણા નદી ઉપર વિરાવળ-કસ્બાપર ગામ પાસે ટાઇડલ રેગ્યુલેટરના બાંધકામ માટે રૂ.૨૫૦ કરોડની યોજનાનું આયોજન. કર્લી રિચાર્જ જળાશય વિસ્તારને પર્યાવરણીય સ્થળ તરીકે વિકાસ કરવા તેમજ ક્ષાર પ્રવેશ નિયંત્રણની કામગીરીને સુદૃઢ કરવા જાેગવાઇ રૂ. ૨૦ કરોડ.
કચ્છમાં ક્ષાર પ્રવેશ નિયંત્રણ તેમજ જળસંગ્રહ કરવાના હેતુસર બંધારાની કામગીરી માટે જાેગવાઈ રૂ. ૮ કરોડ.

નર્મદા નદી ઉપર રૂ. ૫૩૨૨ કરોડના ખર્ચે મીઠા પાણીનું સરોવર બનાવવાની મહત્વાકાંક્ષી ભાડભૂત બેરેજ યોજનાનું કામ ચાલુ છે. આ યોજના માટે જાેગવાઇ રૂ. ૧૨૪૦ કરોડ.

નર્મદા યોજના માટેની જાેગવાઈમાં ઘટાડો, ફાળવણી ૧૭% ઘટાડીને ૬૦૯૦ કરોડ કરી. નર્મદા યોજના માટે જાેગવાઇ રૂ. ૬૦૯૦ કરોડ,
સરદાર સરોવર ડેમનું બાંધકામ વર્ષ ૨૦૧૭માં પૂર્ણ થયેલ છે. આ યોજનાના પાણીનો સિંચાઇ, જળવિદ્યુત ઉત્પાદન, પીવાના પાણી અને ઔદ્યોગિક વપરાશ માટે ઉપયોગ કરવામાં આવે છે.

આગામી વર્ષે કચ્છ બ્રાંચ કેનાલ અને તેના આનુષંગિક નેટવર્કનું કામ પૂર્ણ કરી માંડવી તાલુકા સુધી નર્મદાના નીર પહોંચાડવાનું આયોજન કરવામાં આવેલ છે. તદુપરાંત ઉત્તર ગુજરાતમાં નર્મદા યોજનાની હયાત કેનાલોના સુદૃઢીકરણ અને સૌરાષ્ટ્રમાં મીસીંગ લીંક પૂર્ણ કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવેલ છે.

ગુજરાતે સૂક્ષ્મ સિંચાઇના ક્ષેત્રે પહેલ કરી નોંધપાત્ર પ્રગતિ કરેલ છે. આ પદ્ધતિથી પાણીના કરકસરભર્યા વપરાશ સાથે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. છેલ્લાં બે દશકમાં અંદાજે ૨૧ લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિ પ્રસ્થાપિત કરી ૧૩ લાખ ખેડૂતોને લાભ આપવામાં આવેલ છે. આગામી વર્ષમાં વધુ ૧ લાખ હેકટરમાં આ યોજનાનો વ્યાપ વધારવા માટે જાેગવાઇ રૂ. ૫૦૦ કરોડ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.