Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં ઉદ્વવ ઠાકરે સરકાર પડી ભાંગે તો ભાજપ પાસે ૫ાંચ વિકલ્પો મોજુદ છે

twitter.com

મુંબઇ, જાે મહારાષ્ટ્રમાં આઘાડીની સરકાર પડી તો તેનો સીધો ફાયદો ભાજપને થશે. ભાજપ બળવાખોર ધારાસભ્યો અને અન્યોની મદદથી રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકશે. જાે કે, રાજ્યમાં ભાજપ કેવી રીતે સરકાર બનાવશે તે મોટો પ્રશ્ન છે. નવી સરકાર માટે બળવાખોર ધારાસભ્યો પાસે કયા વિકલ્પો ઉપલબ્ધ છે? મહારાષ્ટ્રમાં ભાજપ માટે આ સંભવિત વિકલ્પો છે.If Uddhav Thackeray’s government collapses in Maharashtra, BJP has five options

વિકલ્પ ૧ ભાજપ પાસે પહેલાથી જ ૧૦૬ બેઠકો છે. આવી સ્થિતિમાં, જાે ભાજપને શિવસેનાના ૩૮ બળવાખોર ધારાસભ્યોનું સમર્થન મળે છે અને રાજ્યની વિવિધ નાની પાર્ટીઓનું સમર્થન મળે છે, તો ભાજપ સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. ડિફેક્શન એક્ટ એમેન્ડમેન્ટ ૨૦૦૩ મુજબ શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ભાજપની સરકાર બનાવવા માટે બે રીતે સમર્થન આપી શકે છે.

પ્રથમ, શિવસેનાથી અલગ થયેલા ધારાસભ્યોનો અલગ જૂથ બનાવીને તેઓ ભાજપને સમર્થન આપીને સરકાર બનાવી શકે છે. બીજાે વિકલ્પ એ છે કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો તેમના જૂથને ભાજપમાં ભળી દે, જાેકે એકનાથ શિંદેએ બળવાખોર ધારાસભ્યોના વિલીનીકરણને સ્પષ્ટપણે નકારી કાઢ્યું છે.

વિકલ્પ ૨ બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ થયા બાદ પણ ભાજપ પાસે સરકાર બનાવવાનો કાનૂની માર્ગ છે. આ માટે બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ થતાં કોર્ટનો રસ્તો ખુલ્લો છે.

બરાબર આવા કિસ્સામાં, સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાના અરુણાચલ પ્રદેશ વિધાનસભાના ઉપાધ્યક્ષના ૨૦૧૬ના ર્નિણયને રદ કર્યો છે.

કોર્ટે તે સમયે ચુકાદો આપ્યો હતો કે જાે ડેપ્યુટી સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પેન્ડિંગ હોય તો તે ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાનો ર્નિણય લઈ શકે નહીં. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ ભાજપ અને શિવસેનાના બળવાખોર ધારાસભ્યો અપક્ષો અને અન્ય નાના પક્ષો સાથે મળીને સરકાર બનાવી શકે છે.

વિકલ્પ-૩ બીજાે વિકલ્પ જે ઉભરી રહ્યો છે તે એ છે કે ભાજપ અને સંયુક્ત શિવસેના સાથે મળીને સરકાર બનાવવાનો દાવો કરે છે. આ ત્યારે જ શક્ય છે જ્યારે ઉદ્ધવ ઠાકરે નમશે અને શિવસેના અને શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ફરી એકસાથે આવશે, આવી સ્થિતિમાં ફરી એકસાથે શિવસેના પાસે ૫૪ ધારાસભ્યો હશે.

આવી સ્થિતિમાં જાે ભાજપ અને શિવસેના સાથે આવે તો ભાજપ સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. જાે કે આવું બનવાની શક્યતાઓ નહિવત્‌ છે, પરંતુ એવું બની શકે છે કે તેને નકારી શકાય નહીં.

વિકલ્પ-૪ રાજકારણ એ સંભાવનાઓની રમત છે, તેથી ક્યારેક અશક્ય દેખાતા ર્નિણયો અને જાેડાણો જાેવા મળ્યા છે. વિકલ્પ તરીકે, ભાજપ, એનસીપી અને શિવસેનાના બળવાખોર ધારાસભ્યો પણ સરકાર બનાવવાનો દાવો કરી શકે છે.

ભાજપ પાસે ૧૦૬ ધારાસભ્યો છે એનસીપી પાસે ૫૩ ધારાસભ્યો છે, જ્યારે શિવસેના પાસે ૩૮ બળવાખોર ધારાસભ્યો છે. જાે કે એનસીપી ભાજપને સમર્થન આપે તેવી આશા ઓછી છે.

વિકલ્પ-૫ બીજાે વિકલ્પ નવી સરકાર બનાવવાનો છે, જે અત્યારે અશક્ય લાગે છે. જાે મહાવિકાસ આઘાડીની સરકાર રાજીનામું આપશે તો નવી સરકારની રચના માટે સીધી રાજ્યપાલની ભૂમિકા શરૂ થશે.

આવી સ્થિતિમાં, રાજ્યપાલ ભાજપને નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપી શકે છે, કારણ કે ભાજપ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી છે અને પછી ભાજપ અને શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સાથે મળીને સરકાર બનાવી શકે છે.

એકંદરે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની ભૂમિકા આવનારા સમયમાં ઘણી મહત્વની બનવાની છે. તે હાલમાં કોરોનાથી પીડિત છે અને હોસ્પિટલમાંથી પરત ફર્યા બાદ પોતાનું કામ ફરી શરૂ કરશે. કોઈ પણ સંજાેગોમાં સરકાર બનશે તો વિધાનસભામાં જ બહુમતી નક્કી થઈ જશે અને હાલમાં ભાજપ અને શિવસેનાના બળવાખોરો સાથે બહુમતનો આંકડો ઊંચો દેખાઈ રહ્યો છે.

૨૦૧૯માં ઠાકરેના નેતૃત્વમાં સરકારની રચના કરવામાં આવી હતી. નવેમ્બર ૨૦૧૯ માં, મહારાષ્ટ્રમાં ઠાકરેના નેતૃત્વમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાની સંયુક્ત સરકારની રચના કરવામાં આવી હતી. શિવસેના અને ભાજપનો જુનો સંબંધ છે. બંને સાથી રહ્યા છે, પરંતુ ૨૦૧૯માં ભાજપ ઉદ્ધવ ઠાકરેને સીએમ બનાવવા માગતી ન હતી, ત્યારબાદ શિવસેનાએ ભાજપ સાથે સંબંધો તોડી નાખ્યા હતા. HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.