ચંદ્રાબાબુએ પૂર્વ CM રેડ્ડીના 400 કરોડના ‘મહેલ’ને જનતા માટે ખોલાવ્યો

(એજન્સી)અમરાવતી, વિશાખાપટ્ટનમ (વિઝાગ)માં આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીના વૈભવી મહેલ (રુશીકોંડા હિલ પેલેસ)ના દરવાજા રવિવારે સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યા હતા. જગન મોહન રેડ્ડીના શાસન દરમિયાન કુલ ૪૫૨ કરોડ રૂપિયામાં ૭ લક્ઝરી રેસિડેÂન્શયલ અને ઓફિસ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
ચંદ્રાબાબુ નાયડુ સરકારનો આરોપ છે કે રૂષિકોંડા હિલ્સ પર બનેલ આલીશાન મહેલ તમામ પર્યાવરણીય ધોરણો અને નિયમોનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવ્યો હતો. જગન સરકાર પાસે અમરાવતીથી રાજધાની સ્થળાંતર કરવાની પરવાનગી ન હોવાથી.
આથી તેમણે આ આલીશાન ઈમારત પ્રવાસન વિભાગના નામે કરાવી. ટીડીપી ધારાસભ્ય ગંતા શ્રીનિવાસ રાવે રવિવારે રુશીકોંડા હિલ્સ પર બનેલા વૈભવી મહેલના પ્રથમ પ્રવાસ પર દ્ગડ્ઢછ પ્રતિનિધિમંડળ અને મીડિયાનું નેતૃત્વ કર્યું.
અંદરની સુંદરતા અને લક્ઝરી વસ્તુઓ જોઈને લોકો દંગ રહી ગયા. રૂષિકોંડા પેલેસ સમુદ્રની સામે ૯.૮૮ એકરમાં ફેલાયેલો છે. જગન મોહન સમયગાળા દરમિયાન બાંધવામાં આવેલી ૭ લક્ઝરી ઇમારતોમાંથી, ૩ મુખ્યત્વે રહેણાંક ઇમારતો છે. આમાં ૧૨ બેડરૂમ છે. દરેક બેડરૂમમાં લક્ઝરી વોશરૂમ જોડાયેલ છે. જેમાં તમામ પ્રકારની લક્ઝરી સુવિધાઓ,
ઉચ્ચ ગુણવત્તાની ફર્નિશિંગ, રાચરચીલું, ચમકતા ઝુમ્મર, બાથટબ અને ફ્લોર વર્ક પર જનતાના પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક બાથરૂમ મહત્તમ ૪૩૦ ચોરસ ફૂટમાં બનેલ છે. સૌથી મોટો ખર્ચ બાથટબ પાછળ થયો હતો. બિÂલ્ડંગની આંતરિક સજાવટ માટે સામગ્રી અને ફર્નિચર પાછળ લગભગ ૩૩ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, રસ્તાઓ, નહેરો અને ઉદ્યાનોના વિકાસ પર ૫૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.
બિÂલ્ડંગની બહાર પણ અદ્ભુત લેન્ડસ્કેપિંગ કરવામાં આવ્યું છે. પાર્કમાં ૨ થી ૩ પ્રકારના વોક-વે બનાવવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ, આંધ્ર પ્રદેશ પ્રવાસન વિકાસ નિગમ દ્વારા રૂષિકોંડા હિલ્સ પર વિકસાવવામાં આવનાર પ્રવાસન પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા મે ૨૦૨૧માં ઝ્રઇઢ એટલે કે કોસ્ટલ રેગ્યુલેટરી ઝોનની મંજૂરી આપવામાં આવી હતી.
ટીડીપીના રાષ્ટ્રીય મહાસચિવ નારા લોકેશ કહે છે કે જગન મોહન રેડ્ડીએ ખાસ કરીને તેનો ઉપયોગ તેમના કેમ્પ ઓફિસ તરીકે કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે દાવો કર્યો હતો કે બિÂલ્ડંગના નિર્માણ માટે રાજ્યની તિજોરીના ૫૦૦ કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.જગન મોહન રેડ્ડીએ વિધાનસભાની ચૂંટણી પહેલા કોઈની પરવાનગી વગર આ ઈમારતનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ચૂંટણી પછી બિÂલ્ડંગમાં પ્રવેશવાની યોજના બનાવી હતી, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ આંધ્રપ્રદેશનું રાજકીય પરિદ્રશ્ય બદલાઈ ગયું.