બિહાર બાદ હવે ઝારખંડમાં પણ જ્ઞાતિ સર્વેક્ષણ થશે

નવી દિલ્હી, લોકસભા ચૂંટણી બાદ યોજાયેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં ઝારખંડની ચંપાઈ સોરેન સરકારે ઘણા મહત્વના નિર્ણયો લીધા છે. જો કે કુલ ૩૩ દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય છે.
બિહાર બાદ ઝારખંડ આવું પગલું ભરનાર બીજું રાજ્ય છે. કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.આ જાતિ સર્વેક્ષણની જવાબદારી કર્મચારી વિભાગને આપવામાં આવી છે. જો કે, જ્ઞાતિ સર્વેક્ષણ ક્યારે શરૂ થશે તે અંગે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.
કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી તેમની સભાઓમાં સતત આની જાહેરાત કરતા જોવા મળ્યા હતા.બિહારમાં પણ જ્યારે કોંગ્રેસ અને આરજેડી સમર્થિત સરકાર હતી ત્યારે જાતિ આધારિત વસ્તીગણતરી કરવામાં આવી હતી. આ મુદ્દે સરકારે ગયા વિધાનસભા સત્ર દરમિયાન એક પ્રશ્નના જવાબમાં ગૃહની અંદર ખાતરી આપી હતી.
ઝારખંડમાં વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, આવી સ્થિતિમાં ચંપાઃ સરકારનો આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જાતિની વસ્તી ગણતરી બાદ સરકાર અનામત અંગે નિર્ણય લઈ શકે છે.તમને જણાવી દઈએ કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યની ચંપાઈ સોરેન સરકાર ચૂંટણી મોડમાં આવી ગઈ છે.
બે દિવસ પહેલા જ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને રાજ્યમાં મફત વીજળીનો વ્યાપ ૧૨૫ યુનિટથી વધારીને ૨૦૦ યુનિટ કરવાની જાહેરાત કરી હતી. ખેડૂતો માટે ૨ લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરતી વખતે તેમણે એમ પણ કહ્યું છે કે સરકાર ૨૫ વર્ષથી વધુ અને ૫૦ વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓને આર્થિક મદદ કરશે યુવાનોને ત્રણ મહિનામાં નોકરી આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.SS1MS