Western Times News

Gujarati News

મુંબઈમાં એક હીરાના વેપારીએ દરિયામાં કૂદીને આત્મહત્યા કરી

તાજ હોટલ પાસે કૂદકો માર્યાે

હીરાના વેપારીએ તેના પરિવારને કહ્યું કે તે મો‹નગ વોક માટે જઈ રહ્યો હતો, પછી તેણે દરિયામાં છલાંગ લગાવી દીધી

મુંબઈ, હીરાના વેપારીએ તેના પરિવારને કહ્યુંકે તે મો‹નગ વોક માટે જઈ રહ્યો હતો, પછી તેણે દરિયામાં છલાંગ લગાવી દીધી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે હીરાના વેપારી સંજય શાંતિલાલ શાહ કથિત રીતે આર્થિક નુકસાનને કારણે તણાવમાં હતા. તેણે તેના પરિવારને જણાવ્યું કે તે મો‹નગ વોક માટે જતો હતો અને ત્યારબાદ રવિવારે સવારે દરિયામાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક હીરાના વેપારીએ દરિયામાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે.

એજન્સી અનુસાર, મુંબઈ પોલીસના એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે ૬૫ વર્ષીય હીરાના વેપારીએ કોલાબામાં હોટેલ તાજ પાસે સમુદ્રમાં કૂદીને કથિત રીતે આત્મહત્યા કરી હતી.કોલાબા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે સંજય શાંતિલાલ શાહ કથિત રીતે આર્થિક નુકસાનને કારણે તણાવમાં હતા. તેણે તેના પરિવારને જણાવ્યું કે તે મો‹નગ વોક માટે જતો હતો અને ત્યારબાદ રવિવારે સવારે દરિયામાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.અધિકારીએ કહ્યું કે તેની બિલ્ડીંગથી નીચે આવ્યા બાદ તેણે ટેક્સી બુક કરી અને બાંદ્રા વર્લી સી લિંક પર ગયો. ત્યાં ત્રણ-ચાર ફેરા લીધા પછી તેણે ટેક્સી ડ્રાઈવરને ગેટવે ઓફ ઈન્ડિયા જવા કહ્યું.

તેણે તાજ હોટલ પાસે દરિયામાં છલાંગ લગાવી હતી. માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેને પાણીમાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યાે.પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે અમે ટૂંક સમયમાં તેના પરિવારનું નિવેદન નોંધીશું. સંજય શાંતિલાલ શાહ ભુલાભાઈ દેસાઈ રોડ પર મહાલક્ષ્મી મંદિર પાસેના મકાનમાં રહેતા હતા. તે હીરાની ખરીદી અને વેચાણનો ધંધો કરતો હતો. છેલ્લા બે-ત્રણ વર્ષથી તેઓ તેમના વ્યવસાયમાં ભારે ખોટ ભોગવી રહ્યા હતા, જેના કારણે તેઓ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા.SS1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.