Western Times News

Gujarati News

બાંગ્લાદેશ પર અમેરિકાનું નિવેદન -‘લોકશાહી મૂલ્યો પર વચગાળાની સરકારની રચના થવી જોઈએ’

મિલરે કહ્યું કે અમેરિકા દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે, અમે લોકોને હિંસાનો અંત લાવવા અને સ્થિતિને સામાન્ય બનાવવાની અપીલ કરીએ છીએ

વોશિગ્ટન,  મિલરે કહ્યું કે અમેરિકા દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. અમે લોકોને હિંસાનો અંત લાવવા અને સ્થિતિને સામાન્ય બનાવવાની અપીલ કરીએ છીએ. તેમણે કહ્યું, ‘વચગાળાની સરકારને લગતા તમામ નિર્ણયો લોકતાંત્રિક સિદ્ધાંતો, કાયદાના શાસન અને બાંગ્લાદેશી લોકોની ઇચ્છાને ધ્યાનમાં રાખીને લેવા જોઈએ.’

બાંગ્લાદેશની સ્થિતિ પર અમેરિકાનું કહેવું છે કે ત્યાંની વચગાળાની સરકાર લોકતાંત્રિક સિદ્ધાંતો, કાયદાના શાસન અને ત્યાંની જનતાની ઈચ્છા અનુસાર રચવી જોઈએ. વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે મીડિયાને કહ્યું, ‘અમે લોકો બાંગ્લાદેશની સરકારનું ભવિષ્ય નક્કી કરે તે જોવા માંગીએ છીએ. તમને જણાવી દઈએ કે ઘણા દિવસોના હિંસક વિરોધ બાદ શેખ હસીનાએ સોમવારે રાજીનામું આપી દીધું હતું અને દેશ પણ છોડી દીધો હતો.

મિલરે કહ્યું કે અમેરિકા દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. અમે લોકોને હિંસાનો અંત લાવવા અને સ્થિતિને સામાન્ય બનાવવાની અપીલ કરીએ છીએ, તેમણે કહ્યું કે, ‘વચગાળાની સરકારને લગતા તમામ નિર્ણયો લોકતાંત્રિક સિદ્ધાંતો, કાયદાના શાસન અને બાંગ્લાદેશી લોકોની ઇચ્છાને ધ્યાનમાં રાખીને લેવા જોઈએ.’ ભૂતપૂર્વ વડા પ્રધાન હસીનાએ અમેરિકામાં આશ્રય માગ્યો હતો કે નહીં તેની તેમને જાણ નહોતી.

”છેલ્લા કેટલાક અઠવાડિયામાં થયેલી હિંસા અને હત્યાઓ માટે જવાબદારી હોવી જોઈએ,” મિલરે કહ્યું. મિલરે કહ્યું કે અમેરિકા બાંગ્લાદેશની સ્થિતિ પર કાળજીપૂર્વક નજર રાખી રહ્યું છે. અમે તમામ પક્ષોને વધુ હિંસાથી દૂર રહેવા વિનંતી કરીએ છીએ. છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં ઘણા લોકોના જીવ ગયા છે અને અમે આગામી દિવસોમાં શાંતિ અને સંયમ રાખવા વિનંતી કરીએ છીએ.

આ પહેલા વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે બાંગ્લાદેશની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે તખ્તાપલટ થઈ ગઈ છે અને વડાપ્રધાન શેખ હસીનાએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેણે પણ દેશ છોડી દીધો હતો અને હાલ ભારતમાં છે. તેમની બહેન શેખ રેહાના પણ તેમની સાથે છે, તે જ સમયે, સેનાએ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરી છે.

દેશમાં છેલ્લા ઘણા દિવસોથી હિંસા ચાલી રહી હતી, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. પરંતુ સોમવારે સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ અને લોકો પીએમના આવાસ તરફ આગળ વધ્યા, ત્યારબાદ શેખ હસીનાએ દેશ છોડવો પડ્યો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.