Western Times News

Gujarati News

વડોદરામાં દુકાન ધરાવતા વેપારીને ઉચ્ચક રૂ. ૮૫ હજારની રોકડ સહાય ચૂકવવામાં આવશે

વડોદરામાં પુરથી અસરગ્રસ્ત વિસ્તારમાં નાનાલધુઅને મધ્યમ વર્ગના વેપાર વાણિજ્યને પુન:વસન માટે રાહત બચાવ પેકેજ જાહેર : પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ

મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુન:વસન સહાય અપાશે-તા. ૩૧ ઓક્ટોબર સુધી સંબંધિત મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર અથવા નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી કરવાની રહેશે

વડોદરામાં પુરથી અસરગ્રસ્ત વિસ્તારમાં નાનાલધુઅને મધ્યમ વર્ગના વેપાર વાણિજ્યને પુન:વસન માટે રાહત બચાવ પેકેજ વિશે વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કેવડોદરામાં  વેપાર વાણિજન્ય સાથે સંકળાયેલા લોકોને ઝડપી પુનઃવસન કરાવવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે.

વડોદરાના અસરગ્રસ્ત વિસ્તારના નાનાલધુ તેમજ મધ્યમ વર્ગના વેપાર વાણિજ્યને પુન:વસન કરવા રાજ્ય સરકારે રાહત બચાવ પેકેજ જાહેર કર્યુ છે. મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુન:વસન સહાય આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કેવડોદરા જિલ્લામાં તાજેતરમાં અતિભારે વરસાદથી ઉદભવેલ પરિસ્થિતિને પુર્વવત કરવા તેમજ સંપૂર્ણ પરિસ્થિતી ઝડપી સુ-વ્યવસ્થિત કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

વડોદરાના લારી-રેકડી ધારકને ઉચ્ચક રૂ. ૫,૦૦૦ની૪૦ સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક રૂ. ૨૦ હજારની૪૦ સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને રૂ. ૪૦ હજારની તેમજ નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધરાવતા વેપારીને ઉચ્ચક રૂ. ૮૫ હજારની રોકડ સહાય ચૂકવવામાં આવશે.

તેમણે વધુ વિગતો આપતા કહ્યું હતું કેરૂ. ૫ લાખથી વધુ માસિક ટર્નઓવર ધરાવતી મોટી દુકાન ધારકોને રૂ. ૨૦ લાખ સુધીનો લોન મળવા પાત્ર રહેશે. જ્યારેરૂ. ૫ લાખની મર્યાદામાં માત્ર ૭ ટકાના વ્યાજ દરે ત્રણ વર્ષ માટે લોન મળશે.

આ સહાય મેળવવા તા. ૩૧ ઓક્ટોબર સુધી સંબંધિત મ્યુનિસિપલ કમિશનરમામલતદાર અથવા નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી કરવાની રહેશે.

આ ઉપરાંત ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓમાં કેન્દ્રની ટીમ હાલ સર્વે કરી રહી છે સર્વે બાદ એસ.ડી.આર.એફ.ના નિયમો મુજબ રાહત જાહેર કરવામાં આવશે તેમમંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.