Western Times News

Gujarati News

વર્લ્ડ ફૂડ ઇન્ડિયા-૨૦૨૪ : ભાગીદાર રાજ્ય તરીકે ગુજરાતનું નોલેજ સેશન યોજાયું

કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ગુજરાત દેશમાં અગ્રેસર

ગુજરાતના કૃષિ ઉદ્યોગ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રનો વિસ્તૃત ચિતાર આપીને કૃષિ ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રિત કરતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં કૃષિ અને કૃષિ આધારિત ઉદ્યોગોની સ્થાપના માટે ખૂબ જ અનુકૂળ વાતાવરણ ઉભું થયું: કૃષિ મંત્રીશ્રી

નોલેજ સેશનમાં નિષ્ણાત વક્તાઓ દ્વારા પોતાના વિવિધ વિષયો પર વિચારો રજૂ કરાયા

નવી દિલ્હી ખાતે આયોજિત ત્રીજી “વર્લ્ડ ફૂડ ઇન્ડિયા” સમિટમાં આજે ભાગીદાર રાજ્ય તરીકે ગુજરાતનું નોલેજ સેશન યોજાયું હતું. “Gujarat’s Palette of Nutrition: A Recipe for Viksit Bharat @ 2047”ની થીમ સાથે યોજાયેલા આ નોલેજ સેશનમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે સેશનમાં ઉદબોધન કરતા જણાવ્યું હતું કેગુજરાતમાં પ્રાકૃતિક વિવિધતાના કારણે ૩૫ થી ૪૦ પ્રકારના અનાજતેલીબિયાંકઠોળમસાલાફળો અને શાકભાજી પાકોનું વાવેતર થાય છે. પાક વિવિધતાને કારણે ગુજરાત કૃષિ ઉદ્યોગો સ્થાપવા માટે સર્વોત્તમ સ્થળ છે. ગુજરાતની ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેશ નીતિઓના પરિણામે ગુજરાતમાં આજે અનેક ઉદ્યોગો સ્થપાયા છે.

જેથી ગુજરાતમાં કૃષિ અને કૃષિ આધારિત ઉદ્યોગોની સ્થાપના માટે ખૂબ જ અનુકૂળ વાતાવરણ ઉભું થયું છે. ગુજરાત સરકારની “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ” હેઠળ આશરે ૨,૦૦૦થી વધુ લાભાર્થીઓને એગ્રો-પ્રોસેસિંગ એકમોની સ્થાપના કરવામાં સહાયતા મળી છેતેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રી શ્રી પટેલે ગુજરાતમાં કૃષિ ઉદ્યોગો માટે ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ અંગે વાત કરતા કહ્યું હતું કેગુજરાતમાં કૃષિ પેદાશોના વેચાણ માટે ૨૨૪ કૃષિ ઉત્પાદક બજાર સમિતિઓ અને ૩૫૫ FPOનું મજબૂત નેટવર્ક ઉપલબ્ધ છે. સાથે જબાગાયતી પાકોના લણણી પછીના વ્યવસ્થાપન માટે રાજ્યમાં મોટા પાયે કોલ્ડ સ્ટોરેજપેક હાઉસગ્રેડિંગ અને શોર્ટિંગ એકમો અને રાઈપનીંગ ચેમ્બર જેવા એકમોની પણ સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં પાંચ નવા એગ્રો પ્રોસેસિંગ ક્લસ્ટર બનાવવાનું પણ આયોજન છેજે રાજ્યમાં રોકાણ અને ઉદ્યોગોને આકર્ષિત કરશે.

 

 

કૃષિ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કેગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે રાજ્ય સરકારે સિંગલ વિન્ડો સીસ્ટમ અભિગમ અપનાવીને “ગુજરાત ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ” શરૂ કર્યું છે. તેવી જ રીતેઉદ્યોગો સ્થાપવા માટે ઉપલબ્ધ જમીનની કિંમતો નક્કી કરવા માટે પણ “સ્ટેટ ઈન્ડસ્ટ્રીયલ લેન્ડ બેંક”ની સ્થાપના કરવામાં આવી છે. તદુપરાંતરાજ્યમાં કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે “ઇન્ડેક્સ-એ” એગ્રી બિઝનેસ એક્સટેન્શન બ્યુરોની પણ સ્થાપના કરી છે. રાજ્ય સરકારની આવી વિવિધ પહેલોથી ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં રોકાણ વધશેખેડૂતોના નુકશાનમાં ઘટાડો થશેઉત્પાદનોના સારા ભાવ મળશે અને નિકાસમાં પણ વધારો થશે.

મંત્રીશ્રીએ ગુજરાતના પ્રાકૃતિક કૃષિ અભિયાન અંગે વિસ્તૃત વિગતો આપીને જણાવ્યું હતું કેગુજરાતમાં રોકાણ કરીને દેશ અને વિશ્વમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદનો અને તેના અદ્યતન સંસ્કરણોને પ્રોત્સાહન આપવાની આ એક સુવર્ણ તક છે. વિશ્વની માંગ મુજબ વિવિધ ઉત્પાદનો વિકસાવવા અને તેને વિશ્વ મંચ પર ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાત ઉત્તમ સ્થળ છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગુજરાત સરકાર વતી તમામ ઉદ્યોગપતિઓને ગુજરાતમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં વધુ રોકાણ કરવા અને ગુજરાતના વિકાસમાં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું.

કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ ગુજરાતના કૃષિ ક્ષેત્રનો ચિતાર રજૂ કરતા કહ્યું હતું કેસસ્ટેનેબલ કૃષિ નીતિઓ અને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપીને ગુજરાત કૃષિ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યુ છે. કૃષિ સંલગ્ન ઉદ્યોગોને સાનુકુળ ઇકોસીસ્ટમ અને ઉદ્યોગ ફ્રેન્ડલી નીતિઓના પરિણામે ગુજરાત રોકાણકારો માટે સ્વર્ગ સમાન છે.

કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ગુજરાત દેશમાં અગ્રેસર છેતેમ કહીતેમણે ગુજરાતના પાક વૈવિધ્ય અને ઉત્પાદકતાકૃષિ ક્ષેત્રે ગુજરાત પાસે ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓદેશના કુલ કૃષિ નિકાસમાં ગુજરાતનું યોગદાન તેમજ પ્રાકૃતિક કૃષિમાં ગુજરાતની સરાહનીય સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.  

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન મેનેજીંગ ડીરેક્ટર શ્રી ડી. એચ. શાહે સેશનમાં સૌનું શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કેભારતના કૃષિ ક્ષેત્રના વિકાસમાં ગુજરાત પોતાનો મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યું છે. રાજ્યના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો આ વેગવંતા વિકાસના વાહક બન્યા છે. ગુજરાતમાં આવા વધુ કૃષિ ઉદ્યોગકારો રોકાણ કરશે તોભારત અને ગુજરાતના વિકાસ ઉપરાંત ગુજરાતના ખેડૂતોની આવક પણ બમણી થશેતેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ સેશનમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR)ના મદદનીશ મહાનિર્દેશક ડૉ. નીરુ ભૂષણે “shifting paradigms and embracing possibilities with innovative value chain interventions” વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જ્યારેનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફૂડ ટેકનોલોજીઆંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ-તંજાવુરના નિયામક ડૉ. વી. પલાનિમુથુએ “Disruptive Food Technologies: The Next Big Leap in Food Processing” વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે ખેતી નિયામક શ્રી એસ. જે. સોલંકીએ આભારવિધિ કરી હતીજ્યારે કૃષિ વિભાગ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના અધિકારીઓ સહિત વિવિધ કૃષિ ઉદ્યોગકારો આ નોલેજ સેશનમાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.