Western Times News

Gujarati News

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૯૮ ટકાથી વધુ જળસંગ્રહ

રાજ્યના ૧૧૩ ડેમ ૧૦૦ ટકા ભરાયા જ્યારે  ૬૬ ડેમમાં ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે જળસંગ્રહ

ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના વધુ એટલે કે ૧૧૩ ડેમ સંપૂર્ણ-૧૦૦ ટકાઅને ૬૬ ડેમમાં ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા હતા. જ્યારે ૧૪ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા૦૮ ડેમ ૨૫ થી ૫૦ ટકા વચ્ચે તેમજ ૦૫ ડેમમાં ૨૫ ટકાથી ઓછું પાણીનો સંગ્રહ થયું છે. આ ઉપરાંત ૧૫૮ ડેમને હાઈ એલર્ટ૧૨ ડેમ એલર્ટઅને ૦૯ ડેમને વોર્નિંગ  આપવામાં આવી છે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૩,૩૦,૩૨૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૯૮ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૫,૧૮,૧૦૯ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૯૨ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. તેમજળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.