દિલ્હી વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડીશુંઃ આપ
જોધપુર, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનું વલણ અપનાવ્યું હતું. પરંતુ કોંગ્રેસે અતિ-આત્મવિશ્વાસમાં એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો, જેના કારણે હરિયાણામાં કોંગ્રેસનો પરાજય થયો હોવાની ચર્ચાએ જોર પક્ડયું છે.
આ દરમિયાન ઈન્ડિયા ગઠબંધનના સહયોગી આમ આદમી પાર્ટી(આપ)એ દિલ્હી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો છે. આપ પ્રવક્તા પ્રિયંકા કક્કડે બુધવારે કહ્યું કે, ‘અમે અતિ-આત્મવિશ્વાસુ કોંગ્રેસ અને અહંકારી ભાજપ સામે લડવા માટે સમક્ષ છીએ.’આપ પ્રવક્તાએ કહ્યું કે, છેલ્લા ૧૦ વર્ષોથી દિલ્હી વિધાનસભામાં કોંગ્રેસ પાસે એક પણ બેઠક નથી.
છતાંય આમ આદમી પાર્ટી(આપ)એ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ત્રણ સીટ આપી હતી. તેમ છતાં કોંગ્રેસે હરિયાણામાં સહયોગીઓને સાથે નહીં લેવાનું જરુરી સમજ્યું હતું. આપ પ્રવક્તાએ આરોપ લગાવ્યો કે, ‘હરિયાણા ચૂંટણીમાં કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધનની પાર્ટીઓને ગંભીરતાથી લીધી નહીં અને ગઠબંધન કર્યું નહીં.
છેવટે કોંગ્રેસે પોતાન ઓવર કોન્ફિડેન્સના કારણે હારનો સામનો કરવો પડ્યો છે.’હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આપમાં ગઠબંધન થઈ શક્યું નહીં. આપે ૯ સીટ માંગી હતી, આ પ્રસ્તાવ કોંગ્રેસે ફગાવી દેતા આપ રાજયની ૯૦ સીટોમાંથી ૮૯ પર ચૂંટણી લડી હતી. જોકે, આપ ને એક પણ સીટ મળી ન હતી. જ્યારે કોંગ્રેસ બહુમતીના આંકડાથી આઠ સીટ દૂર રહી ગઈ હતી.SS1MS