Western Times News

Gujarati News

તિરુપતિ મંદિર બોર્ડમાંથી હિન્દુ પરંપરાઓનું પાલન નહીં કરનાર ૧૮ કર્મીઓની હકાલપટ્ટી

તિરુપતિ, આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ(ટીટીડી)એ ધાર્મિક નિયમોનો ભંગ કરવા પર ૧૮ કર્મચારીઓની વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

આ કર્મચારીઓ પર હિન્દુ પરંપરાઓનું પાલન નહીં કરવાનો અને બિન-હિન્દુ ધાર્મિક ગતિવિધિઓમાં સામેલ હોવાનો આક્ષેપ છે. આ નિર્ણય તિરુપતિ મંદિરના ધાર્મિક મહત્વ અને મંદિરોની આધ્યાત્મિક પવિત્રતાને જાળવી રાખવા માટે લેવામાં આવ્યો છે.

તિરુપતિ મંદિર બોર્ડના ચેરમેન બીઆર નાયડુના નેતૃત્વમાં પહેલાથી જ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ફક્ત હિન્દુ કર્મચારી જ દેવસ્થાનમમાં કામ કરી શકે છે. પરંતુ તપાસ દરમિયાન આ ૧૮ કર્મચારીઓ બિન-હિન્દુ પરંપરાઓનું પાલન કરતો જોવા મળ્યા, જેના કારણે તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે.

ટીટીડી બોર્ડના પ્રસ્તાવ મુજબ, આ કર્મચારીઓ તિરુમાલાના મંદિરો અને તેનાથી સંબંધિત વિભાગોમાંથી હટાવવામાં આવશે. સાથે જ, તેમને કોઇ પણ હિન્દુ ધાર્મિક સમારોહના આયોજન કે અનુષ્ઠાનમાં ભાગ લેવાની મંજૂરી અપાશે નહીં.

બોર્ડે આ ૧૮ કર્મચારીઓને બે વિકલ્પ આપ્યા છે – કોઈ સરકારી વિભાગમાં બદલી માટે અરજી કરે કે પછી સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ યોજના(વીઆરએસ) અંતર્ગત બોર્ડમાંથી નિવૃત્ત થઈ જાય. જો આ બે પૈકી કોઈ વિકલ્પ સ્વીકારશે નહીં તો તેમની સામે વધુ આકરી કાર્યવાહી કરવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.