અરુણાચલ પ્રદેશમાં બનાવાશે ૧,૪૦૦ કિલોમીટરનો હાઈ-વે

નવી દિલ્હી, ચીન સરહદ નજીક કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ અને મોટા હાઈ-વેના નિર્માણને મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયથી અરુણાચલ પ્રદેશના સીમાંત પ્રાંતમાં કનેક્ટિવિટી વધશે. જોકે ચીન તવાંગના નામથી અરુણાચલ પ્રદેશ પર દાવો કરતું આવ્યું છે.
આવી સ્થિતિમાં, આ મોટા પ્રોજેક્ટની જાહેરાત દ્વારા ભારતે સીધો સંદેશ આપ્યો છે. મોદી સરકારના મંત્રી કિરેન રિજિજુએ અરુણાચલ પ્રદેશના કામલે જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી.કેન્દ્ર સરકારે ચીન સરહદ નજીક એક મુખ્ય હાઇવેના મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટથી અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટી વધશે.
તે ઉપરાંત અરુણાચલ પ્રદેશનું દેશના અન્ય રાજ્યો સાથે પણ સરળતાથી જોડાણ થઈ શકશે. કેન્દ્રીય મંત્રી કિરન રિજિજુએ કહ્યું કે આ પ્રોજેક્ટ પાછળ ૪૨,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ ઈન્ળાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે પર કેન્દ્ર સરકારે મોટી રકમના ભંડોળને મંજૂરી આપી છે.
તેમણે કહ્યું કે અરુણાચલ ળન્ટિયર હાઇ-વે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.હાલ સુધી મળેલી વિગતો અનુસાર, આ હાઇવેનો કુલ રૂટ ૧૪૦૦ કિલોમીટર લાંબો હશે અને ઘણી જગ્યાએ હાઇવે અને ચીન સરહદનું અંતર માત્ર ૨૦ કિલોમીટરનું જ હશે.
જાહેર સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર પણ હાજર હતા. બોસીમાલા મેળાને સંબોધતા રિજિજુએ કહ્યું કે આ વિસ્તાર રાષ્ટ્રીય ધોરીમાર્ગથી દૂર છે. તેમ છતાં જો ઉપરાષ્ટ્રપતિ અહીં પહોંચ્યા છે તો તે એક મહત્વપૂર્ણ બાબત છે અને તે ઇતિહાસમાં નોંધાઈ જશે.SS1MS