ફવાદ ખાનના સમર્થનમાં ઉતરી અભિનેત્રી અમીષા પટેલ

મુંબઈ, ફવાદ ખાન-વાણી કપૂર સ્ટારર ફિલ્મ અબીર ગુલાલનું ટીઝર રિલીઝ થયા પછી, ભારતમાં તેની રિલીઝ પર પ્રતિબંધ મૂકવા માટે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. પરંતુ હવે ફિલ્મને આખરે ઉદ્યોગમાંથી એક સમર્થક મળ્યો છે.
અભિનેત્રી અમીષા પટેલે કહ્યું છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો કોઈની રાષ્ટ્રીયતાના આધારે કલામાં ભેદભાવ કરતો નથી.અમીષાએ ફવાદના પુનરાગમન વિશે વાત કરી. અભિનેત્રીએ ભારતીય સંસ્કૃતિનો ઉલ્લેખ કર્યાે.
તેમણે કહ્યું કે આપણી સંસ્કૃતિમાં દરેક કલાકાર અને કલાનું સન્માન કરવામાં આવે છે. અમીષાના મતે, ભારતમાં અબીર ગુલાલની રિલીઝ અટકાવવી યોગ્ય નથી.અમીષાએ કહ્યું- મને પહેલા પણ ફવાદ ખાન ગમતો હતો. અમે દરેક અભિનેતા અને દરેક સંગીતકારનું સ્વાગત કરીએ છીએ. આ ભારતની સંસ્કૃતિ છે.
એટલા માટે કલા એ કલા છે. હું તેમાં ભેદભાવ રાખતી નથી. આંતરરાષ્ટ્રીય કલાકારોનું સ્વાગત કરવું જોઈએ. વિશ્વભરના કલાકારોનું સ્વાગત છે.
કોઈ પણ ક્ષેત્રમાં, ચિત્રકારો, સંગીતકારો, અભિનેતાઓ, દિગ્દર્શકો, કોઈ પણ ક્ષેત્રમાં.ફવાદ ખાન લાંબા સમય પછી ‘અબીર ગુલાલ’ ફિલ્મથી ભારતમાં વાપસી કરવાનો હતો, પરંતુ આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.
ફવાદનો બહિષ્કાર કરતી વખતે, તેના તરફથી ધમકીઓ પણ આપવામાં આવી હતી.ફવાદે ફિલ્મ ખૂબસુરતથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, તે છેલ્લે ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમાં જોવા મળ્યો હતો. આ પછી, ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો, જેના કારણે તે પાછો ચાલ્યો ગયો.SS1MS