NALSA (જાગૃતિ – ગ્રામ્ય સ્તરે ન્યાય જાગૃતિ અને પારદર્શિતા પહેલ) યોજના, 2025 શરૂ કરાઈ

રાષ્ટ્રીય કાનૂન સેવાઓ પ્રાધિકરણ (NALSA) NALSA@30 – મફત કાનૂની સહાયનો વારસો
રાજપીપલા, શનિવાર :- “રાષ્ટ્રીય કાનૂન સેવાઓ પ્રાધિકરણ(NALSA)“ના ત્રણ દાયકાના ઉજવણી સમારોહ અને વેસ્ટ ઝોન કોન્ફરન્સનું આયોજન 26 એપ્રિલ, 2025ના રોજ નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-2 ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માનનીય શ્રી ન્યાયમૂર્તિ બી.આર. ગવાઈ, ન્યાયમૂર્તિ, ભારતના સુપ્રીમ કોર્ટ અને કાર્યકારી અધ્યક્ષ, NALSA; માનનીય શ્રી ન્યાયમૂર્તિ સુર્યકાંત, ન્યાયમૂર્તિ, ભારતનો સુપ્રીમ કોર્ટ અને અધ્યક્ષ, સુપ્રીમ કોર્ટ કાનૂન સેવાઓ સમિતિ; માનનીય શ્રીમતી ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ, મુખ્ય ન્યાયમૂર્તિ, ગુજરાત હાઈકોર્ટ; માનનીય શ્રી ન્યાયમૂર્તિ બિરેન એ. વૈષ્ણવ, ન્યાયમૂર્તિ, ગુજરાત હાઈકોર્ટ અને કાર્યકારી અધ્યક્ષ, ગુજરાત રાજ્ય કાનૂન સેવાઓ પ્રાધિકરણ (GSLSA); માનનીય શ્રી ન્યાયમૂર્તિ એ.એસ. સુપેહિયા, ન્યાયમૂર્તિ, ગુજરાત હાઈકોર્ટ અને અધ્યક્ષ, હાઈકોર્ટ કાનૂન સેવાઓ સમિતિ (HCLSC); તેમજ શ્રી એસ.સી. મુન્ઘાટે, સભ્ય સચિવ, નાલાસા , આર એ ત્રિવેદી સભ્ય સચિવ,GSLSA , R T Panchal Principal District જજ તથા એસ આર બટેરીવાલા, સચિવ , DLSA ઉપસ્થિત રહ્યા હતા.
NALSAએ GSLSAના સહયોગથી ત્રણ દાયકાના ઉજવણી સમારોહ અને પશ્ચિમ ઝોન પરિષદનું આયોજન કરીને સમાજના વંચિત વર્ગો સુધી ન્યાય પહોંચાડવાની પોતાની અવિરત પ્રતિબદ્ધતાનો મહત્વપૂર્ણ ઐતિહાસિક તબક્કો ઉજવ્યો.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ NALSAની શરૂઆતથી આજ સુધીની યાત્રા અને ભવિષ્યની દ્રષ્ટિનો ઉજાસ આપતી ત્રણ ભાગોની ડોક્યુમેન્ટરી શ્રેણીનું પ્રદર્શન હતું.
પરિષદ દરમિયાન અનેક મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરવામાં આવી, જેમાં સમાવેશ થાય છે:
• NALSA (જાગૃતિ – ગ્રામ્ય સ્તરે ન્યાય જાગૃતિ અને પારદર્શિતા પહેલ) યોજના, 2025,
• સુધારિત NALSA (ડોન) યોજના (માદક દ્રવ્યો અંગે જાગૃતિ અને કલ્યાણ માટેનું દિશાનિર્દેશન યોજના) અને
• NALSA (સંવાદ) યોજના (આદિવાસીઓ અને વિમુક્ત/ભટકી જમાતોના ન્યાય માટે સક્રિય યોજના, 2025).
આ યોજનાઓના પ્રસાર માટે વિડીયો, જિંગલ્સ, ઇ-લૉન્ચ અને મજબૂત પ્રિન્ટ આવૃત્તિઓ પણ રજૂ કરવામાં આવી.
સ્ત્રીઓ ના ન્યાય પ્રત્યે NALSAની પ્રતિબદ્ધતા દર્શાવતા POSH અધિનિયમ, 2013 પર આધારિત એક માર્ગદર્શિકા અંગ્રેજીમાં “Speak Up” અને હિંદીમાં “आवाज़ उठाओ” શીર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવી.
આ પ્રસંગે “NALSA@30 – મફત કાનૂની સહાયની વારસા” નામનું સ્મૃતિપત્ર પણ પ્રકાશિત થયું, જેમાં રાજ્ય અને જિલ્લા કાનૂન સેવાઓ સત્તાઓ દ્વારા ન્યાય સુલભતા માટે કરાયેલા સંયુક્ત પ્રયાસોને ઉજાગર કરવામાં આવ્યા.
NALSA યોજનાઓ, બાળ લગ્ન SOP “આશા”, POSH હેન્ડબુક, લોકઅદાલત અને મેડિએશન અંગે જાગૃતિ વિડીયો જાણીતા કલાકારો પંકજ ત્રિપાઠી, શિવાજી સતમ, રાજકુમાર રાવ; જાણીતા ખેલાડીઓ ભાઈચુંગ ભૂટિયા અને એમ.સી. મેરી કોમ અને સામાજિક કાર્યકરો ડો. પ્રકાશ આમટે અને શ્યામસુંદર પાળીવાલ દ્વારા પ્રોબોનોએ બનાવાયા છે.
ડિજિટલ વ્યવસ્થામાં નવી ક્રાંતિ નિશાનરૂપ “NALSA@Connect” પ્લેટફોર્મનું પણ એક સ્પષ્ટીકરણ વિડીયો મારફતે પરિચય કરવામાં આવ્યો. સાથે સાથે નવી રીતે સુધારેલી NALSA વેબસાઇટનું લોન્ચિંગ, રાજ્ય કાનૂન સેવાઓ સત્તાઓની વેબસાઇટ્સનું S3WaaS પ્લેટફોર્મ પર સ્થળાંતર અને કૃત્રિમ બુદ્ધિ આધારિત ચેટબોટ “LESA” (લીગલ સર્વિસીસ આસિસ્ટન્ટ)નું પ્રવર્તન પણ કરવામાં આવ્યું.
સભામાં સંબોધન કરતા માનનીય શ્રી ન્યાયમૂર્તિ સુર્યકાંતે જણાવ્યું કે:
“એક રાષ્ટ્રમાં ન્યાયનું સાચું મૂલ્યાંકન ન્યાયાલયોની ભવ્યતા કે કાયદાના પાનાંઓની સંખ્યામાં નથી, પરંતુ તે સૌથી ગરીબ, સૌથી વંચિત અને અવાજવિહિન લોકો દ્વારા અનુભવાતી સમાનતા અને ન્યાયની લાગણીઓમાં આવે છે.”
માનનીય શ્રી ન્યાયમૂર્તિ બી.આર. ગવાઈએ NALSA ટીમને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, ભારત આપણા સૌનું ઘર છે અને દરેક ભારતીયને ભારતના કોઈપણ ખૂણે વસવાટ કરવાનો અધિકાર છે. તેમણે પોતાનાં મણિપુર, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડની મુલાકાતોના અનુભવો પણ વ્યક્ત કર્યા અને ભારતના વિવિધ રાજ્યોમાં અસ્તિત્વ ધરાવતાં જુદા જુદા સામાજિક-કાનૂની પ્રશ્નોનું વિશિષ્ટ રૂપથી વિશ્લેષણ કર્યું. તેમણે જણાવ્યું કે:
“જે માર્ગ પર 30 વર્ષ પહેલાં NALSAની સફર શરૂ થઈ હતી તે હવે સમગ્ર દેશમાં ફેલાઈ છે અને તે needy લોકો સુધી કાનૂની જાગૃતિ, કાનૂની સહાય અને કાનૂની સેવાઓ દ્વારા ન્યાય પહોંચાડતો રહેવો જોઈએ.”
કાર્યસત્ર દરમિયાન પશ્ચિમ ઝોનના રાજ્ય કાનૂન સેવાઓ સત્તાઓના કાર્યકારી અધ્યક્ષોએ “NALSAના આશ્રય હેઠળ કાનૂન સેવાઓ સંસ્થાઓના ત્રણ દાયકાની યાત્રા” અને “વિશ્વમાં મફત કાનૂની સહાય અને સેવાઓ માટે ભારતનું ઉદયમાન નેતૃત્વ : દ્રષ્ટિ અને ભવિષ્ય માટેનું માર્ગદર્શન” જેવા વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા.
અંતે માનનીય શ્રી ન્યાયમૂર્તિ બી.આર. ગવાઈએ સમાપનના ટિપ્પણીઓ આપી અને સમાજમાં સામાજિક અને આર્થિક ન્યાય સ્થાપિત કરવા તથા ન્યાયના અધિકાર અંગે લોકોને જાગૃત બનાવવા સતત પ્રયત્નો કરવાની જરૂરિયાત ઉપર ભાર મુક્યો.
આ પરિષદે બધા માટે ન્યાય સુલભ બનાવવાની NALSAની દીર્ઘદ્રષ્ટિનું પુનરાવર્તન કર્યું અને ભારતીય કાનૂની જગતના સહિયારા સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો.