Western Times News

Gujarati News

પહેલગામ હુમલામાં 15 કાશ્મીરીઓની સંડોવણી

અત્યાર સુધીમાં કાશ્મીર ખીણમાં આતંકવાદીઓના કુલ ૯ ઘરોને ઉડાવી દેવામાં આવ્યા છે.

(એજન્સી)જમ્મુ, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં હિન્દુઓના નરસંહાર બાદ સુરક્ષા દળો સંપૂર્ણ કાર્યવાહીમાં છે. કાશ્મીર ખીણમાં આતંકવાદીઓનો ખાત્મો શરૂ થઈ ગયો છે. પુલવામાના ત્રાલમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી આમિર નઝીરનું ઘર તોડી પાડવામાં આવ્યું. તેમજ પુલવામાના ખાસીપોરામાં જૈશના આતંકવાદી અમીર નઝીર વાનીના ઘરને ઉડાવી દેવામાં આવ્યું. પહેલગામ હુમલામાં ૧૫ જેટલા સ્થાનિકોએ આતંકીઓને મદદ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે.

અત્યાર સુધીમાં કાશ્મીર ખીણમાં આતંકવાદીઓના કુલ ૯ ઘરોને ઉડાવી દેવામાં આવ્યા છે. આ પહેલા શોપિયા જિલ્લાના વાંદીના વિસ્તારમાં આતંકવાદી અદનાન શફીનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું. અદનાન શફી લગભગ એક વર્ષ પહેલા લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠનમાં જોડાયો હતો. આ પહેલા કુપવાડામાં આતંકવાદી ફારૂક અહેમદના ઘરને ઉડાવી દેવામાં આવ્યું હતું.

આ બધા સહિત, અત્યાર સુધીમાં કાશ્મીર ખીણમાં કુલ ૯ આતંકવાદીઓના ઘરો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. પહલગામમાં હિન્દુઓના નરસંહાર બાદ હવે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી નેટવર્ક તોડવા માટે એક મોટું અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. શ્રીનગરમાં આતંકવાદી સહાયકોના ૬૪ સ્થળો સામે ેંછઁછ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે કુલગામમાંથી ૨ આતંકવાદી સહાયકોની ધરપકડ કરવામાં આવી છે.

એવું કહેવાય છે કે પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓને કાશ્મીરમાં જ હાજર ૧૫ ઓવરગ્રાઉન્ડ વર્કર્સે મદદ કરી હતી. આ મદદગારોની ઓળખ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના આધારે કરવામાં આવી છે. ટાઇમ્સ આૅફ ઇન્ડિયાના અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ લોકોએ હુમલાખોરોને લોજિસ્ટિક્સ પૂરું પાડ્યું હતું અને સંભવતઃ પાકિસ્તાનથી શસ્ત્રોનો માલ પણ મેળવ્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પહલગામ આતંકવાદી હુમલાની તપાસ સોંપી દીધી છે. હવે જમ્મુ-કાશ્મીર પોલીસ પાસેથી પહેલગામ કેસની ડાયરી અને હ્લૈંઇ લેશે. તેમજ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી નેટવર્કને તોડવા માટે એક મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શ્રીનગરમાં આતંકવાદી સહાયકોના ૬૪ સ્થળો સામે ેંછઁછ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.