Western Times News

Gujarati News

નૌકાદળનો ઉપયોગ કર્યો હોત તો પાક. ૪ ટુકડામાં વહેંચાઈ ગયું હોતઃ રાજનાથ સિંહ

(એજન્સી)નવી દિલ્હી, દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે, આજે શુક્રવારે ગોવામાં આઈએનએસ વિક્રાંતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, તેમણે કહ્યું હતું કે હું આઈએનએસ વિક્રાંત પર મારા નૌકાદળના યોદ્ધાઓની વચ્ચે હોવાનો ખૂબ આનંદ અનુભવું છું.

જ્યારે હું ભારતની દરિયાઈ શક્તિના ગૌરવ આઈએનએસ વિક્રાંત પર ઉભો છું, ત્યારે મને ખુશીની સાથે સાથે ગર્વ અને વિશ્વાસ પણ થાય છે કે જ્યાં સુધી દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા તમારા મજબૂત હાથમાં છે, ત્યાં સુધી કોઈ ભારત સામે કોઈ ઊંચી આંખ કરીને પણ જોઈ નહીં શકે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો અને પાકિસ્તાનને ચેતવણી આપી કે ઓપરેશન સિંદૂર હજુ સમાપ્ત થયું નથી, તે ફક્ત મુલતવી રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ વખતે પાકિસ્તાન ભારતીય નૌકાદળની માત્ર તૈયારીઓથી જ ડરી ગયું હતું.

૧૯૭૧માં જ્યારે નૌકાદળ યુદ્ધમાં ઉતર્યું ત્યારે પાકિસ્તાન ૧ માંથી ૨ ભાગમાં વહેચાઈ ગયું. જો નૌકાદળ ઓપરેશન સિંદૂરમાં દરિયાની અંદરથી જોડાયું હોત, તો પાકિસ્તાન ફક્ત ૨ નહીં પણ ૪ ભાગમાં વહેંચાઈ ગયું હોત. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો અને પાકિસ્તાનને ચેતવણી આપી કે ઓપરેશન સિંદૂર હજુ સમાપ્ત થયું નથી, તે ફક્ત મુલતવી રાખવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે આ વખતે પાકિસ્તાન ભારતીય નૌકાદળની માત્ર તૈયારીઓથી જ ડરી ગયું હતું. ૧૯૭૧માં જ્યારે નૌકાદળ યુદ્ધમાં ઉતર્યું ત્યારે પાકિસ્તાન ૧ માંથી ૨ ભાગમાં વહેચાઈ ગયું. જો નૌકાદળ ઓપરેશન સિંદૂરમાં દરિયાની અંદરથી જોડાયું હોત, તો પાકિસ્તાન ફક્ત ૨ નહીં પણ ૪ ભાગમાં વહેંચાઈ ગયું હોત.

તેમણે કહ્યું, ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતીય નૌકાદળે અરબ સાગરમાં માત્ર તેની હાજરીથી દરેક ભારતીયને પ્રભાવિત કર્યા છે. ભારતીય નૌકાદળ પાકિસ્તાની સેનાને બાંધવામાં સફળ રહ્યું.

જરા કલ્પના કરો કે જે વ્યક્તિ મૌન રહીને પણ કોઈ દેશની સેનાને બોટલમાં બંધ રાખી શકે છે, તે બોલશે ત્યારે દ્રશ્ય કેવું હશે ? જો પાકિસ્તાન આ વખતે કોઈ નાપાક કૃત્ય કરે છે, તો શક્્ય છે કે આ વખતે ઓપનિંગ આપણી નૌકાદળ દ્વારા કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.