બેંક ઑફ બરોડા દ્વારા સાબરમતી નદીના તટે વિશેષ સ્વચ્છતા અભિયાન: પર્યાવરણ પ્રત્યે પ્રતિબદ્ધતાનો પરિચય

શનિવાર, તારીખ ૩૧ મે ૨૦૨૫ના રોજ વહેલી સવારે ૭:૦૦ વાગ્યે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સહયોગથી બેંક ઑફ બરોડા – અંચલ કચેરી, અમદાવાદ દ્વારા, શહેરના પ્રાદેશિક કચેરીઓ તથા શાખાઓ સાથે મળીને સાબરમતી નદીના તટે આવનાર વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ની પૂર્વસંધ્યાએ એક વિશેષ સ્વચ્છતા અભિયાન આયોજિત કરવામાં આવ્યું હતું.
આ અભિયાન “પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો” (Beat Plastic Pollution) થીમ હેઠળ યોજાયું હતું, જેનો હેતુ પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો લાવવો અને સ્થાયી જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની તાત્કાલિક જરૂરિયાત તરફ ધ્યાન દોરવાનું હતું।
આ પ્રસંગે શ્રી અશ્વિની કુમાર (મહાપ્રબંધક તથા અંચલ વડા), શ્રી રણજિત રંજન દાસ (ઉપ મહાપ્રબંધક – અનુરૂપતા અને આશ્વાસન), શ્રી બિપિનકુમાર ગર્ગ (ઉપ મહાપ્રબંધક – વ્યવસાય વિકાસ) તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓએ બેંકના ઉત્સાહી 150 થી વધુ કર્મચારીઓ સાથે મળીને નદીના કાંઠે પથરાયેલા પ્લાસ્ટિક અને અન્ય કચરાની સફાઈમાં સક્રિય ભાગ લીધો હતો, અને લગભગ 2 ટનથી વધુ કચરોનો નિકાલ કર્યો હતો.
તેમના સામૂહિક પ્રયાસો દ્વારા પર્યાવરણ સ્વચ્છતા અને સામાજિક જવાબદારીના મહત્વનો શક્તિશાળી સંદેશો પ્રસરી રહ્યો છે।
આ પહેલ માત્ર પર્યાવરણ સંબંધિત જવાબદારીમાં બેંકની નેતૃત્વ ભૂમિકા દર્શાવતી નથી, પણ જે સમુદાયોની બેંક સેવા કરે છે, તેમનાં સાથેના મજબૂત સંબંધોને પણ રેખાંકિત કરે છે। સ્વચ્છતા અભિયાન દ્વારા બેંકે સ્પષ્ટ કર્યું છે કે તેનો સામાજિક અને પર્યાવરણ સંબંધી ઉત્સર્ગ માત્ર કાગળ પર નહીં, પણ યથાર્થતામાં અમલમાં પણ લાવવામાં આવે છે.