Western Times News

Gujarati News

આ કારણસર રાજસ્થાનમાં ગુર્જર સમુદાયના લોકોએ ટ્રેન રોકી!

જયપુર, રાજસ્થાનમાં ગુર્જર મહાપંચાયત સમાપ્ત થયા પછી, સમુદાયના લોકોએ ભરતપુરના પીલુપુરા ખાતે ટ્રેન રોકી. ભીડ પાટા પર પહોંચી ગઈ અને કોટા-મથુરા પેસેન્જર ટ્રેનને રોકી દીધી. તેમણે દિલ્હી-મુંબઈ રેલવે ટ્રેકને બ્લોક કરી દીધો.

એટલું જ નહીં, પ્રદર્શનકારીઓએ પાટા ઉખેડી નાખવાનો પણ પ્રયાસ કર્યો. સ્થળ પર પહોંચેલા કલેક્ટર અને એસપીએ પ્રદર્શનકારીઓને સમજાવ્યા અને સાંજે ૬ઃ૩૦ વાગ્યે ટ્રેક ખાલી કરવામાં આવ્યો. આ ટ્રેક મહાપંચાયત સ્થળથી માત્ર ૧૫૦ મીટર દૂર છે.

અગાઉના આંદોલનોમાં પણ આ ટ્રેક ઘણી વખત બ્લોક કરવામાં આવ્યો છે.
અગાઉ, સરકાર દ્વારા રવિવારે ભરતપુરના વિસ્તારમાં કારવારી શહીદ સ્મારક (પીલુપુરા) ખાતે યોજાયેલી મહાપંચાયતમાં અનામત સહિતની અનેક માંગણીઓ અંગે માંગણીઓનો ડ્રાફ્‌ટ મોકલવામાં આવ્યો હતો.

ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના પ્રમુખ વિજય બૈંસલાએ લોકોને તે વાંચી સંભળાવ્યો. સમાજની સંમતિ પછી, મહાપંચાયત પૂરી કરવામાં આવી. ઘણા લોકો આનાથી ગુસ્સે હતા. ગુર્જર સમુદાય દ્વારા સરકારને આજે (રવિવાર) બપોર સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.

ગૃહ રાજ્યમંત્રી જવાહર સિંહ બેધમે કહ્યું હતું કે- કેટલાક લોકો આ વાત પર અડગ છે કે અમે રહીશું અને સરકાર વિરુદ્ધ બોલીશું. લોકશાહીમાં, દરેકને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે. જ્યારે સરકાર કોઈપણ મહાપંચાયત અને આંદોલન વિના ટેબલ પર વાત કરવા તૈયાર છે, તો પછી મહાપંચાયત શા માટે?
મહાપંચાયતમાં હાજર ગુર્જર સમુદાયના કેટલાક લોકોએ સરકારના ડ્રાફ્‌ટનો વિરોધ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.