નડિયાદઃ કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આધાર નોંધણી કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદ દ્વારા“સાથી અભિયાન” અંતર્ગત આધાર નોધણી કેમ્પ માતૃછાયા અનાથ આશ્રમ નડિયાદ માં યોજાયો હતો.
ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડીઆદનાં ફુલ ટાઈમ સેક્રેટરી(સિનિયર સિવિલ જજ કેડર) ડી બી. જોષીનાં સમગ્ર સાથી અભિયાનનાં સંયોજક પદે જિલ્લા વહીવટી તંત્રનાં વડા, વિવિધ જિલ્લા સરકારી વિભાગનાં વડા, પેનલ એડવોકેટ તથા પેરા લીગલ વોલન્ટીયર સહિતની સાથી કમિટીની રચના કરવામાં આવી જેમાં સાથી અભિયાન થકી ખેડા જિલ્લાનાં તમામ નિરાધાર બાળકોનાં આધાર કાર્ડની નોંધણીની અસરકારક કામગીરી કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો
જે અંતર્ગત સાથી અભિયાન કમીટી દ્વારા કલેકટર . અમિત પ્રકાશ યાદવની સુચના અનુસાર જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા બાળ કલ્યાણ સમિતિ, જિલ્લા બાળ સુરક્ષા એકમનાં સંયુક્ત ઉપક્રમે માતૃછાયા અનાથાશ્રમ ખાતે નિરાધાર બાળકો માટે ૦૨(બે) દિવસીય વિશેષ આધાર નોંધણી કેમ્પનું આયોજન આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો
આ પ્રસંગે જિલ્લા ન્યાયાલય નડીઆદનાં ફુલ ટાઈમ સેક્રેટરી(સિનિયર સિવિલ જજ કેડર) અને સાથી અભિયાન કમીટીનાં સંયોજક ડી બી. જોષી સહીત કમિટી સભ્યો એવા નડીઆદના પ્રાંત અધિકારી નિર્ભય ગોંડલીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહેશ પટેલ, માતૃછાયા અનાથાશ્રમનાં ડીરેક્ટર સિસ્ટર મીના, મેનેજર સિસ્ટર રોશની તથા સુપ્રિન્ટેન્ડેન્ટ સંદીપ પરમાર ઉપસ્થિત રહ્યા હતાં તથા કેમ્પ દરમિયાન જિલ્લા બાળ કલ્યાણ સમિતિનાં અધ્યક્ષ અમિત ડાભીએ પણ આ કેમ્પની ખાસ મુલાકાત લીધી હતી.